________________
ષદર્શન (૧૦) યોગદર્શન
અવિદ્યા યા અવિવેક તુચ્છ નથી. તેને દૂર કરવા સાધના - યોગ - જરૂરી છે. આ સાધનામાર્ગનું નિરૂપણ પાતંજલ યોગદર્શનમાં છે. તેમાં યોગનાં આઠ અંગો—યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનું વિશદ વર્ણન છે. લૌકિક કે અલૌકિક ચીજોની કે શક્તિઓની પ્રાપ્તિની આકાંક્ષા રાખ્યા વિના કેવલ રાગ, દ્વેષ વગેરે કલેશોથી મુક્ત થવાના પ્રયોજનથી જ આ આઠેય અંગોનો સતત અભ્યાસ કરવામાં આવે તો વિવેકજ્ઞાનનો ઉદય થાય છે. આ વિવેકજ્ઞાન જ' તેના વિરોધી અવિવેકને દૂર કરવા સમર્થ છે. યોગદર્શન એક અદ્ભુત ચિત્તશાસ્ત્ર છે. ચિત્ત વિશે અનેક મહત્ત્વની વિચારપ્રેરક ચર્ચાઓ આ શાસ્ત્રમાં છે. બાકી યોગના દાર્શનિક સિદ્ધાંતો તો સાંખ્યના જ છે. સાધકના ધ્યાનના અનેક વિષયોમાંના એક વિષય તરીકે ઈશ્વરનો સ્વીકાર યોગદર્શને કર્યો છે.
૧૨
(૧૧) વૈશેષિકદર્શન
વૈશેષિકદર્શન માત્ર બાહ્યાર્થવાદી નથી પરંતુ તે આત્યંતિક બાહ્યાર્થવાદી છે. તે વસ્તુઓને જ્ઞાનબાહ્ય માને છે એટલું જ નહિ પણ તે પ્રતીતિભેદ્દે વસ્તુભેદ યા પદાર્થભેદ માને છે. આમ જેટલા પ્રતીતિઓના પ્રકાર તેટલા જ બાહ્ય જગતમાં પદાર્થોના પ્રકાર તે સ્વીકારે છે. પ્રતિભાસનો અર્થાત્ જ્ઞાનનો અતિશય (વધારો) બાહ્ય વિષયના અતિશય વિના સંભવતો જ નથી એ વૈશેષિક સિદ્ધાંત છે. બાહ્ય પદાર્થો સાત છે—દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ.
૩૯
દ્રવ્ય-જેમાં ગુણ અને કર્મ રહે છે તેમ જ જે કાર્યનું સમવાયી કારણ બને છે તે દ્રવ્ય છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, કાળ, દિક્, આત્મા અને મન—આ નવ દ્રવ્યો છે.” આમાંથી પ્રથમ ચાર દ્રવ્યો બે પ્રકારનાં છે—નિત્ય અને અનિત્ય, નિત્ય પરમાણુરૂપ છે અને અનિત્ય કાર્યરૂપ (અવયવીરૂપ) છે.૪૧ પરમાણુઓના સંયોગથી જ જગતની બધી ભૌતિક વસ્તુઓ બનેલી છે. પરમાણુઓના સંયોગથી અવયવીરૂપ તદ્દન નવી જ વસ્તુ ઉત્પન્ન થાય છે. આમ વૈશેષિકો ઉત્પત્તિ પહેલાં કાર્યને કારણમાં સત્ નથી માનતા. એટલે તેઓ અસત્કાર્યવાદી કહેવાય છે.
આકાશ, કાલ, દિક્ અને આત્મા આ ચાર વિભુ દ્રવ્ય છે. મન અભૌતિક પરમાણુરૂપ છે.૪૨ દિન, વર્ષ, માસ, વગેરે સમયના વ્યવહારનું જે અસાધારણ કારણ છે તે ‘કાળ’ છે.૪૩ તે નિત્ય અને વ્યાપક છે. પૂર્વ, પશ્ચિમ વગેરે દિશાઓનું જે અસાધારણ કારણ છે તે ‘દિક્’ છે.” તે પણ નિત્ય અને વ્યાપક છે. આત્મા નિત્ય, વિભુ છે. તે જ્ઞાનનું અધિકરણ છે. સંસારી અવસ્થામાં તે કર્તા, ભોક્તા અને જ્ઞાતા છે. જ્ઞાન, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર તેના વિશેષ ગુણો છે. પણ આ ગુણો સંસારી અવસ્થામાં જ તેનામાં હોય છે, કારણ કે ઇન્દ્રિય અને મનના સંયોગવિશેષથી જ આત્મામાં તે ગુણો ઉત્પન્ન થતા રહે છે. એટલે મુક્તિમાં તે નવેય