SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ષદર્શન તે સત્ ને અસત્ બંનેરૂપ નથી તેમ જ સત્ ને અસત્ બંનેથી ભિન્નરૂપ પણ નથી. તે દૃષ્ટિશૂન્ય છે. 33 શૂન્યવાદીઓ સત્ની ત્રણ કોટિઓ સ્વીકારે છે : પરિનિષ્પન્ન, પરતન્ત્ર અને પરિકલ્પિત. પરમતત્ત્વ પ્રજ્ઞા(શૂન્ય) એ પરિનિષ્પન્ન છે. જેનો સ્વભાવ સ્વતંત્ર હોય તે પરિનિષ્પન્ન કહેવાય. ક્ષણિક ધર્મો પરતન્ત્ર છે અને નિત્ય દ્રવ્ય વગેરે પરિકલ્પિત છે. (૮) બૌદ્ધ ન્યાયવાદ આ સંપ્રદાયના બે પ્રમુખ ગ્રંથો દિફ્નાગનો ‘પ્રમાણસમુચ્ચય' અને ધર્મકીર્તિનું ‘પ્રમાણવાર્તિક' છે. દિનાગે જ્ઞાનના બે ભેદ કર્યા—અનુભવાત્મક યાં સંવેદનાત્મક (નિર્વિકલ્પક) અને વિચારાત્મક યા સ્મરણાત્મક (સવિકલ્પક). આ બંને પ્રકારો પરસ્પર વ્યાવૃત્ત છે. અનુભવાત્મક જ્ઞાન જ વસ્તુને યથાર્થ જાણે છે. પરંતુ આ અનુભવાત્મક જ્ઞાન નિશ્ચયાત્મક નથી અર્થાત્ તે દ્રવ્ય, ગુણ, સામાન્ય વગેરે કલ્પનાઓથી (categories of understanding) રહિત છે. તેમાં પૂર્વાપરાનુસંધાન છે જ નહિ. એટલે તે શબ્દશૂન્ય છે, વિચારશૂન્ય છે.” વિચારાત્મક જ્ઞાન યા સ્મરણાત્મક જ્ઞાનમાં પૂર્વાપરાનુસંધાન, વિચાર અને કલ્પનાઓ હોય છે. તે વસ્તુને યથાર્થ જાણતું નથી. તે વસ્તુ ઉપર કલ્પનાઓનો આરોપ કરે છે. તે નિશ્ચયાત્મક છે. આ જ્ઞાનસિદ્ધાંતનું મૂળ દિનાગના પ્રમેયછૈવિધ્યના સિદ્ધાંતમાં છે. પ્રમેયના બે પ્રકાર છે - ‘સ્વલક્ષણ’ અને ‘સામાન્યલક્ષણ’, ‘સ્વલક્ષણ’ સર્વથા વિશેષરૂપ તત્ત્વ છે. તેની બાબતમાં દેશવ્યાપ્તિ કે કાળવ્યાપ્તિ સંભવતી નથી. કાળની દૃષ્ટિએ તે ક્ષણિક છે અને દેશની દૃષ્ટિએ તે લંબાઈ, પહોળાઈ અને જાડાઈ વિનાના બિંદુ સમાન છે. આ ક્ષણિક ‘સ્વલક્ષણ' જ બાહ્ય જગતમાં અસ્તિત્વ ધરાવે છે, તે જ પરમાર્થ સત્ છે, કારણ કે તે જ અર્થક્રિયાકારી છે. ઝાડવાનું કામ અગ્નિસ્વલક્ષણ કરે છે, નહિ કે અગ્નિસામાન્યલક્ષણ. ‘સામાન્યલક્ષણ' વિકલ્પરૂપ છે, માનસ છે; તેનું અસ્તિત્વ બાહ્ય જગતમાં નથી. દિનાાગે ગોત્વ વગેરે સામાન્યોને બાહ્ય સત્ માનનારનો અત્યંત વિરોધ કર્યો અને જણાવ્યું કે ગૌત્વ વગેરે સામાન્યો અતદ્યાવૃત્તિરૂપ છે. ગાયોમાં રહેનારું ગોત્વ કોઈ બાહ્ય સત્ વિધિરૂપ ભાવપદાર્થ નથી પરંતુ અનેક ગાયોનું ગળો (અતંર્) અર્થાત્ ભેંસ, ઊંટ, હાથી વગેરેથી ભિન્ન હોવું તે છે. આ અતઠ્યાવૃત્તિ એ સામાન્યનું સ્વરૂપ છે અને તે મનસ્કલ્પના છે. પ્રમેય બે પ્રકારના હોવાથી પ્રમાણો પણ બે પ્રકારના છે—નિર્વિકલ્પ પ્રત્યક્ષ (અનુભવાત્મક) અને અનુમાન. નિર્વિકલ્પ પ્રત્યક્ષ ‘સ્વલક્ષણ’ને જ ગ્રહણ કરે છે. અનુમાનનો વિષય છે ‘સામાન્યલક્ષણ’. આ કારણે અનુમાનને ભ્રાન્ત પ્રમાણ ગણવામાં આવ્યું છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે જો એ ભ્રાન્ત હોય તો પ્રમાણ શેનું અને પ્રમાણ હોય તો ભ્રાન્ત શેનું ? ભ્રાન્તિ બે પ્રકારની હોય છે - વિસંવાદી અને અવિસંવાદી. અનુમાન અવિસંવાદી ભ્રાન્તિ છે માટે તેને પ્રમાણ ગણ્યું છે. અનુમાનથી
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy