________________
પદર્શન ક્ષણિક છે. આ ક્ષણિક વસ્તુતત્ત્વને “ધર્મ' કહેવામાં આવે છે. પ્રત્યેક ધર્મ ક્ષણિક છે અને મૂલતત્ત્વ છે. એક બાજુ ‘દુઃખ” યા સંસાર ગતિશીલ છે, તો બીજી બાજુ “નિરોધ ગતિહીનતાનું નામ છે. અર્થાત્ “નિરોધ' ગતિથી ઊલટી “શાન્ત' અવસ્થા છે. આ રીતે થેરવાદી બૌદ્ધધર્મના મૂળ સિદ્ધાંત ત્રણ કહી શકાય :
(૧) સર્વનિત્ય—બધું અનિત્ય - ક્ષણિક છે. (૨) સર્વમનામ-સ્થિર દ્રવ્ય સત્ત્વશૂન્ય છે. (૩) નિને શાન્ત-નિર્વાણ શાન્ત અર્થાત્ ગતિ યા “ક્ષણિકતાથી રહિત અવસ્થા છે.
થેરવાદીઓને મતે પ્રત્યક્ષનો વિચાર કરીએ. પ્રત્યક્ષનો અર્થ છે વર્તમાન વિષયનું જ્ઞાન. પરંતુ ક્ષણિકવાદમાં જ્યારે વિષયનું જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે વિષય તો નાશ પામ્યો હોય છે. જ્યારે વિષય હોય છે ત્યારે તેનું જ્ઞાન નથી હોતું અને જ્યારે તેનું જ્ઞાન થાય છે ત્યારે વિષય નથી હોતો. આમ ક્ષણિકવાદમાં પ્રત્યક્ષ અશક્ય બની જાય છે. આ અશક્યતાના નિવારણ માટે થેરવાદીઓ ક્ષણિકવાદનો અંશતઃ ત્યાગ કરે છે. તેઓ સત્તર ચિત્તક્ષણોને (mind-moments). એક રૂપ ધર્મનું (matter-moment) આયુ ગણે છે. ૨૫ અર્થાત્ ચિત્તક્ષણ કરતાં રૂપધર્મ(બાહ્ય ભૌતિક વસ્તુ)ની ક્ષણ વધુ વિસ્તૃત છે. આને પરિણામે પોતાનું જ્ઞાન થાય ત્યાં સુધી વસ્તુનું ટકવું સંભવે છે. ચિત્તક્ષણ અને રૂપક્ષણનાં બે ભિન્ન ધોરણો માની થેરવાદીઓ બાહ્ય વિષયના પ્રત્યક્ષને શક્ય બનાવે છે.
(૪) સર્વાસ્તિવાદ યા વૈભાષિકદર્શન (બૌદ્ધ) ધર્મ (વસ્ત) ક્ષણિક છે એ ઘેરવાદીઓનો સિદ્ધાંત આપણે જોયો. સર્વાસ્તિવાદીઓનું કહેવું છે કે ધર્મમાં “ધર્મસ્વભાવ” અને “ધર્મલક્ષણ” બે પાસાં છે. ધર્મસ્વભાવ સર્વદા અર્થાત્ ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળમાં અસ્તિત્વ ધરાવે છે. પરંતુ ધર્મલક્ષણ” જ ક્ષણ છે. તે જ ક્ષણિક છે. તેનું કારણ એ છે કે તે ધર્મનો ક્રિયાકારી બાહ્ય દશ્યમાનરૂપમાં પ્રાદુર્ભાવ છે. “ધર્મસ્વભાવ” ત્રણેય કાળે અસ્તિત્વ ધરાવતો હોવા છતાં તે નિત્ય નથી, કારણ કે નિત્યતાનો અર્થ છે પરિવર્તનનો અભાવ પરંતુ ધર્મસ્વભાવ ભવિષ્યમાં કોઈ ધર્મના બાહ્ય અસ્તિત્વની સંભાવનાનો દ્યોતક છે અને વળી ભૂતકાલીન અસ્તિત્વનો પણ ઘાતક છે. આ રીતે ધર્મસ્વભાવ' નિત્ય ન હોવા છતાં સર્વદા અસ્તિત્વ ધરાવે છે. સર્વાસ્તિવાદનો આ સિદ્ધાંત અને એનું ઉપર્યુક્ત સમાધાન બૌદ્ધધર્મના સામાન્ય ક્ષણિકસિદ્ધાંતની સાથે કેટલું સંગત છે, એ એક પ્રશ્ન છે.
વૈભાષિકદર્શને નિકાસભાગતાના નામે સામાન્યનો સ્વીકાર કર્યો છે. સભાગતાનું બાહ્ય અસ્તિત્વ છે (વ્યતઃ મતિ). સભાગતા કેવળ પ્રાણી()વ્યક્તિઓમાં જ રહે છે; બીજી કોઈ વ્યક્તિઓમાં રહેતી નથી. સભાગતાને કારણે આપણને ભિન્ન ભિન્ન પ્રાણી વ્યક્તિઓમાં એકાઈનું જ્ઞાન થાય છે. પોતાની વ્યક્તિઓમાં સભાગતા પ્રતિ