SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રવેશક (૩) થરાદ (બૌદ્ધ) ત્રિપિટક, બુદ્ધઘોષકૃત વિશુદ્ધિમગ્ગ” તથા “અક્રસાલિની અને અનિરુદ્ધકૃત અભિધમ્મFસંગહો’ – થેરવાદના આ પ્રમુખ ગ્રંથો છે. બૌદ્ધ ધર્મ અને દર્શનનો આધાર ચાર “આર્યસત્ય છે-(૧) દુઃખ (૨) દુઃખહેતુ, (૩) દુઃખનિરોધ, (૪) દુઃખનિરોધના ઉપાય. ઘડપણ તેમ જ મરણરૂપ દુઃખ સંસારમાં પ્રત્યક્ષ છે. બુદ્ધે દુઃખનો હેતુ શોધ્યો. હેતુ’ને બુદ્ધ પ્રતીત્યસમુત્પાદ'ના રૂપમાં નિરૂપ્યો. પ્રતીત્ય'નો અર્થ છે “એમ હોતાં” (અર્થાત્ કારણો ભેગાં મળતાં) “સમુત્પાદ' અર્થાત્ “ઉત્પન્ન થવું તે'. પ્રશ્ન એ હતો કે કઈ બાબતો હોતાં (૧) “જરા-મરણરૂપ દુઃખ ઉત્પન્ન થાય છે? બુદ્ધે ઉત્તર આપ્યો કે (૨) “જાતિ' (જન્મ) હોતાં જરા-મરણરૂપ દુઃખ થાય છે. જન્મ શું હોતાં થાય છે? બુદ્ધનો ઉત્તર હતો કે (૩) “ભવ' અર્થાત્ ટકી રહેવાની અથવા કાયમ રહેવાની તૃષ્ણા. ભવનું કારણ છે (૪) “ઉપાદાન” અર્થાત્ આસક્તિ. અને ઉપાદાનનું કારણ છે (૫) ‘તૃષ્ણા” અર્થાત્ વિષયોની કામના. તૃષ્ણાનું કારણ છે (૬) “વેદના' અર્થાત્ સુખદુઃખનો અનુભવ. આ વેદનાનું કારણ છે (૭) “સ્પર્શ' અર્થાત્ ઇન્દ્રિય અને વિષયોનો સંયોગ. “સ્પર્શનું કારણ છે () ખડાયતન' અર્થાત્ ૬ ઇન્દ્રિયોના રૂપમાં ૬ સ્પર્શના આધાર, પડાયતનનું કારણ છે (૯) “નામરૂપ” અર્થાત્ ભૌતિક અને માનસિક “સ્કન્ધ' (ક્ષણિક ધારાઓ). નામરૂપનું કારણ છે (૧૦) વિજ્ઞાન' અર્થાત્ ચેતના. ચેતના વિના નામરૂપ નથી બનતા. વિજ્ઞાનનું કારણ છે (૧૧) “સંસ્કાર” અર્થાત્ વસ્તુઓના અનુભવથી જન્મતા સંસ્કાર, સંસ્કાર વિના ‘વિજ્ઞાન” થઈ શકે નહિ. સંસ્કારનું કારણ છે (૧૨) “અવિદ્યા' અર્થાત્ અનાદિ કાળથી ચાલતું આવેલું અજ્ઞાન. આમ ૧૨ અર'વાળા આ સંસારચક્રનું મૂળ કારણ અવિદ્યા છે. એટલે એ જ દુઃખનો હેતુ છે. અવિદ્યાનો નાશ થતાં સંસારચક્ર નષ્ટ થઈ જાય છે અને દુઃખનો નાશ થઈ જાય છે. પરિણામે દુઃખનિરોધની પ્રાપ્તિ થાય છે. દુઃખનિરોધનો ઉપાય “આર્ય અષ્ટાંગ માર્ગ છે. “આર્ય અષ્ટાંગ માર્ગમાં “સમ્યદર્શન’ “સમ્યફ સંકલ્પ' વગેરેનો સમાવેશ થાય છે. આમ મૂળતત્ત્વ દુઃખ અને નિરોધ છે. કેવળ જરા-મૃત્યુ જ દુઃખ નથી પરંતુ સમગ્ર સંસાર દુઃખરૂપ છે. “દુઃખ” ગતિનું નામ છે. એનો અર્થ એ કે સંસારનો પ્રત્યેક પદાર્થ ક્ષણિક છે. પ્રત્યેક પદાર્થ પ્રત્યેક ક્ષણે નાશ પામે છે અને એની જગ્યાએ બીજો પદાર્થ આવી જાય છે. આ અર્થમાં સંસાર ગતિશીલ છે. પરંતુ ગતિ યા પરિવર્તનનો એવો અર્થ ન સમજવો જોઈએ કે કોઈ સ્થિર તત્ત્વ છે અને એમાં ગતિ યા પરિવર્તન થાય છે. પ્રત્યેક પદાર્થનું પ્રત્યેક ક્ષણે નાશ પામવું અને એની જગ્યાએ બીજા પદાર્થનું આવી જવું એ જ ગતિ છે. પ્રત્યેક પદાર્થ “ક્ષણિક' છે એનો એ પણ અર્થ થાય છે કે કોઈ પદાર્થમાં સ્થિર તત્ત્વ “આત્મા' યા દ્રવ્ય'ના રૂપમાં નથી. પ્રત્યેક પદાર્થ “અનાત્મા' છે. આ અનાત્મવાદ'નો અર્થ એ છે કે સ્થિર દ્રવ્ય જેવી કોઈ વસ્તુ નથી પરંતુ બધી જ વસ્તુઓ
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy