SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ખેલ્યા, હે પુત્ર ! આ અદ્ભુત સમૃદ્ધિ ક્યાંથી મળી ? ગુણચંદ્રે પણ મુનિદર્શનથી આરંભી સવ વૃત્તાંત નિવેદન કર્યું: ત્યારબાદ તેણે પૂછ્યું હે પિતાજી! મ્હારા મ્હોટા ભાઇ કેમ દેખાતા નથી ? પિતાએ કહ્યું ભાઇ ! ત્હારી સાથે અહીંથી તે ગયેા છે તેટલી વાત હું જાણું છું. ત્યાર બાદ ગુણચંદ્રે પોતાના અનુચર મોકલી સાગરચંદ્રની શેાધ કરાવી, અનુક્રમે ક્રુરતાં કરતાં તેઓને સાગરચંદ્રના પત્તો લાગ્યા. ત્યાંથી તેને લઇ અનુચરા ગુણચંદ્રની પાસે આવ્યા અને તેણે પેાતાના ભાઈને વિનય પૂર્વક પૂછ્યું કે મુનિ પાસેથી ગયા ખાદ આપને કઈ લાભ મળ્યા ? સાગરચદ્ર ખેલ્યા, અપશુકન થવાથી પાછા વળી હું નગર તરફ માવતા હતા તેટલામાં ત્યાં ચાર લેકે આવી પહોંચ્યા અને મારે। . મારા એમ ખેલતા તેઓએ દંડાદિકના પ્રહારથી જીણુ કરી હૅને પૃથ્વી ઉપર પાડી દીધેા. તેમજ વસ્ત્રાદિક ગ્રહણ કરી મુખમાં વસ્ત્રના ડુચા મારી વૃક્ષના મૂળમાં મ્હને સજ્જડ બાંધીને તે ચાલતા થયા, ત્યારબાદ ત્યાં એક મુસાફર આવ્યા. મ્હારી દીન અવસ્થા જોઇ તેને દયા આવી. જેથી મ્હને બ ંધનથી મુક્ત કર્યાં, પછી તેણે પાતાની પાસેથી ઘેાડુંક ખાવાનું હુને આપ્યું. વળી પાણી પાયું, તેથી હું શુદ્ધિમાં આળ્યા, પછી મ્હેં વિચાર કર્યો કે ગુણચંદ્રનું કહેવું સત્ય થયું. મુનિ મહારાજ શકુન રૂપ 'હાવા છતાં તેમને અમ ગલિક માનવાથી મ્હારા મનના વિચાર મ્હને ફલીભૂત થયે.. માટે હજી પણ મુનિની પાસે જઇ તેમની ક્ષમા માગું. વળી પુણ્યના ઉદયથી કાઇ પણ રીતે તેમનુ દર્શાન થાય તેા સારૂં, એમ જાણી હું ત્યાં ગયા, દૈવયેાગે મુનિનાં દર્શોન થયાં. નમસ્કારપૂર્ણાંક મ્હારા દોષ પ્રગટ કરી મ્હે' ક્ષમા માગી, ત્યારે.મુનિ ખેલ્યા, “ ધમ અને અધર્મનુ ફૂલ લેાકમાં પ્રગટ વેદતા સરલ પ્રાણીએ જાણી શકે છે,” અન્ય કુટિલ જીવા કાઇ re
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy