SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. વિચાર કર્યો કે આ મુનિ દર્શનનું જ ફળ છે. અન્યથા આવે અનુકૂળ શબ્દ ક્યાંથી સાંભળવામાં આવે ? પછી ગુણચંદ્ર નિમંત્રણ કરવા આવેલી સ્ત્રીને હાથ પકડી રથ આગળ ગયે. રથમાં બેઠેલી કુમારીએ પોતાના હસ્તનું અવલંબન આપી ગુણચંદ્રને રથમાં લઈ લીધું. ત્યારબાદ સુંદર ફલેથી ભરેલું પાત્ર તેના હાથમાં આપ્યું. પછી ઠંડુ પાણી પાઈ સોપારી આપી. ત્યાર બાદ કપુરના મિશ્રણ વાળા ચંદન રસને ગુણચંદ્રના શરીરે લેપ કર્યો. પછી બહવેગથી રથ ચલાવ્યું. આઠ ચેંજન ગયા એટલે સૂર્યોદયનો પ્રકાશ પડ્યો. જેની સાથે સંકેત કર્યો હતે તે પુરૂષ કરતાં ઘણે સુંદર અને નવીન થવન વયમાં આવેલા ગુણચંદ્રને કુમારીએ જોયે અને હૃદયમાં બહુ ખુશી થઈ તે બોલી, હે પ્રિય વલ્લભ! અહીં જ હુને વરે. દૈવના આપવાથી તમે જ મહારા ભર્તા છે. અન્યથા અન્ય સાથે મહેં સંકેત કર્યો હતે તેમ છતાં તમ્હારો વેગ કયાંથી થાય? માટે હે સુભગ રત્ન! દેવ યેગે જે થવાનું હતું તે થયું. હવે તો તમેજ હારૂં શરણ છે. તમ્હારે કઈ ચિંતા કરવી નહીં. કટિ મૂલ્યનાં આ હાર આભરણ છે તે આપનાં જ છે. આપ ઈચ્છા પ્રમાણે આનંદ ભેગવે. એમ કહી તેણીએ પિતાનું વૃત્તાંત કહ્યું કે વસંત સેના નામે હું નંદિપુરના રાજાની પુત્રી છું. વળી હારા પિતાને વિચાર એવો છે કે પોતાના સીમાડાના વૃદ્ધ નરેંદ્રની સાથે મહારે વિવાહ કરે, તે વાત મહારા સાંભળવામાં આવી. તેથી હું બહુ દુ:ખી થઈ અને ગુણચંદ્ર નામના એક ક્ષત્રિય સાથે તે દેવમંદિરમાં મળવાને મહે સંકેત કર્યો હતે, હું રથમાં બેસી ત્યાં આવી અને હારીદાસીને બોલાવવા મેકલી, તેથી તમે તેની સાથે આવી મહારા રથમાં બેઠા. વળી હું એમ માનું છું કે મહારા પિતાના ભયથી સંકેત કરે તે પુરૂષ અહીં નહીં આવ્યા હોય તે સાંભળી ગુણચંદ્ર બોલ્યો કે જે આ
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy