SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર પતા નથી તેથી હાલ હું શ્રાવક ધર્મ પાળું છું. મારા માતાપિતાની દ્રષ્ટિગોચર રહીને સુખેથી ગ્રહવાસમાં રહું છું. હવે એક દિવસ હું દર્શન માટે જૈનમંદિરમાં જતી હતી, ત્યારે માર્ગમાં બે રાજપુત્રએ મહને જોઈ એટલે તેમાંથી એક બે, હે મૃ. ગાક્ષિ ! પ્રસન્ન થઈ મહારા સ્વામી દ્રષ્ટિ કર કે જેથી હારી દ્રિષ્ટિરૂપ અમૃતથી હું શાંત થાઉં. પછી બીજે બોલ્યા, હે તન્વગી ! જે દયા ધર્મ પાળનારી તું સત્ય શ્રાવિકા હાય તે હને છોડીને મનથી પણ બીજાની પ્રાર્થના કરીશ નહીં, અન્યથા જરૂર હારા પ્રાણ પરલોકમાં પધારશે. આ પ્રમાણે બન્નેનાં અસભ્ય વચન સાંભળી જલદી હું જૈનમંદિરમાં ગઈ. વિધિ સહિત પૂજન વંદન કરી ત્યાંથી બહાર નીકળી ગ્રહ તરફ આવતી હતી તેટલામાં તે બન્ને જણ આગળ માર્ગ રેકી ઉભા હતા. તેમને જોઈ હું આડે રસ્તે નાઠી અને શીખવ્રતની રક્ષા માટે દૂર ચાલી ગઈ, તે પણ તેઓ હારી પાછળ પાછળ આવતા હતા. એવામાં એક શંકરનું મંદિર આવ્યું એટલે એકદમ તેની અંદર હું પેસી ગઈ અને દ્વાર બંધ કર્યો. તેટલામાં તેઓ બહાર આવીને પર સ્પર યુદ્ધ કરવા લાગ્યા. એક કહે મ્હારી સ્ત્રી છે અને બીજે કહે મહારી સ્ત્રી છે ! એમ વિવાદમાં એક બીજાના ખથી બન્ને જણ પ્રાણ મુક્ત થયા. એ પ્રમાણે તેઓનું મરણ જઈ દ્વાર ઉઘાડીને હેં ત્યાં આવી જોયું તો તેજ સ્થિતિમાં બન્નેને જોયા. ત્યારબાદ મહને વિચાર થયે કે અરેમહને ધિક્કાર છે. આ બન્નેના મરણનું કારણ હું પોતેજ થઈ. અથવા આતે મેહને વિલાસ છે. એમાં મહારશે દેવ ? વળી સ્ત્રીઓને દેહ અશુચિ રસથી ભરેલું છે. અસ્થિ, વિઝા તેમજ ચામડી તથા નસોથી વ્યાપ્ત છે. તે આ દેહમાં કડા 9િ) જીજે # જસતં થાય? યુવંતિએને નિતંબ ભાગ કામદેવને વિકાસ કરવાની રાજધાની છે
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy