SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ વિયશશ્રેણીની કથા. (૭) ત્યારબાદ તે પેટી ખુલ્લી કરી જોયું તે તેમાંથી પરિગ્રહનું * પ્રમાણ અને નવકાર મંત્રનું ફલ જેમાં દેવયશને શિક્ષા લખેલું હતું એવું એકટિપ્પણનું કાગળીયું રાજાના જોવામાં આવ્યું. તે વાંચવાથી રાજા સમજી ગયો કે જેના નિયમે આવા ઉત્કૃષ્ટ છે, તે માણસ આવું કાર્ય નજ કરે. તેથી દ્વારપાલને હુકમ કર્યો કે ધનદેવને તે જલદી અહીં લાવે, કારણકે તેણે આવી ખરાબ વાત શા માટે કરી? દ્વારપાળે તરતજ તેને દાખલ કર્યો. રાજા બોલ્યા, રે અધમ ! હારું કહેવું અસત્ય છે. એમ રાજાના કહેવાથી ધનદેવે તે પેટી ખંખેરી કે તરત જ તેમાંથી વીંટી નીચે પડી. તે જોઈ પાસે ઉભેલા લેક બેલ્યા, આ હેટું આશ્ચય છે કે અમૃતમાંથી વિષ ઉત્પન્ન થયું. ત્યારબાદ ભૂપતિએ કોપાયમાન થઈ દેવયશને બહ તિરસ્કાર પૂર્વક કહ્યું, રે ધૃષ્ટ ! ફૂટ ધાર્મિક ! આ શું? દેવયશ બે, હે રાજન ! આ સર્વ દૈવનું કર્તવ્ય છે. રાજા છે, તે વાત સત્ય છે. દૈવેજ ત્વને આવી બુદ્ધિ આપી હશે. એમ કહી રાજાએ બહુ વિડંબના પૂર્વક વધસ્થાને તેને લઈ જવાની આજ્ઞા આપી. આરક્ષકે તેને વૃદ્ધ ખર ઉપર બેસાડી, ગેરૂથી શરીર રંગી સુંદર લાલ કણેરના પુષ્પોની માલા હેના કંઠમાં પહેરાવી અને આગળ ડિંડિમ નગારાના ઘોષ સાથે બહુ ઠાઠથી નગરની અંદર કેઈ નવીન પ્રકારને વરઘોડે કાઢ્યો. તેમાં એક પુરૂષ પિતાના હસ્ત વડે ઉંચા વાંસડા ઉપર લટકાવેલી મુદ્રા રત્નને ભમાવે છે. તે જાણે અન્યાયને પોકાર કરવા માટે નગર લક્ષ્મીને ઉંચો કરેલો હાથ હેયને શું ? તેમ દેખાય છે. આ પ્રમાણે દેવયશને તિરસ્કાર જોઈ તેના સ્વજન અને પરિજનો રૂદન કરવા લાગ્યા, તેમજ વળી પશુ અને પક્ષિઓ પણ બહુ દુઃખી થઈ આકંદ કરવા લાગ્યા. તેમજ લોકોની વાણી શ્રવણ ગોચર થવા લાગી કે અહે ! રાજાએ
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy