SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧૨) શ્રી સુપાર્શ્વનાથચરિત્ર पटुतरपवनवशा-कुलितकुवलयदलतरलानि । जीवितयौवनयुवति-जनधनलवलाभसुखानि ॥ - અથ–“ જીવિત, દૈવન, સુંદર યુવતિજન, અને લેશ માત્ર ધન લાભના સુખને પ્રચંડ વનના વેગથી કંપાયમાન કમલા પત્રની માફક ચંચલ જાણવાં. ” આ પ્રમાણે ધર્મદેશના સાંભળી દેવચંદ્ર શ્રેષ્ઠીએ અતિથિદાનને નિયમ લીધો અને પોતાને ત્યાં ભિક્ષા માટે મુનિઓને વિનતિ કરી પિતાને ઘેર આવ્યું. પછી ઉચિત સમયે મુનિઓ ભિક્ષા માટે આવ્યા. દેવચ ભાવપૂર્વક પકવાન્નાદિક વહરાવ્યું. તેઓએ પણ યથોચિત વિશુદ્ધ એ આહાર લીધે. પછી દેવચંદ્ર બે, આજે આપ પધાર્યા તેથી હારૂં ઘર પવિત્ર થયું. અને આજે આ ભક્ત પાનાદિક રસોઈ પણ સફલ થઈ. કારણકે, ગુરૂ ભેજનથી અવશિષ્ટ અન્ન આજે હું જમીશ. એમ ભાવના ભાવતા દેવચંદ્ર મુનિઓની પાછળ કેટલાંક ડગલાં ચાલી પોતાને ઘેર પાછો આવી શેષ અન્નથી ભજન કરી બહુ સંતુષ્ટ થયે. મુનિઓ પણ ભિક્ષા લઈ ગુરૂ પાસે ગયા અને સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. ભિક્ષા તરફ દષ્ટિ કરી ગુરૂ બેલ્યા, હે મુનિઓ ! હવે હમેશાં તહારે દેવચંદ્રના ત્યાં જવું. જેથી એને શિષ્ય પ્રત્યે ગુરૂ કૃપણુતાનો અપવાદ દૂર થાય. અને નિર્જ વચન, રા પણ થાય. ત્યારબાદ મુનિએ ગોચરી માટે હમેશાં તેને ત્યાં જવા લાગ્યા. વળી સ્વભાવથી જ તેની સ્ત્રી બહુ ઉદાર ચિત્તની હતી તેથી તે ઘેબર, લાડુ, પેંડા, બરફી અને સાકર વિગેરે બહુ પદાર્થો પ્રતિ દિવસ બહેરાવતી હતી. એ પ્રમાણે સ્ત્રીની ઉદારતા જોઈ દેવચંદ્ર કૃપણ. તાને લીધે પિતાની સ્ત્રીને કહ્યું કે, હવે મુનિઓને હું પોતે જ
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy