SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ દેવચંદ્રશ્રાવકનીકથા. (૪૧૧) આરંભેથી તેમજ કરવું અને કાવવાથી નિવૃત્ત થયેલા મુનિએને ગૃહસ્થ પુરૂષોએ ધર્મ નિમિત્તે અવશ્ય દાન આપવું. કહ્યું છે કે-જે પુરૂષ વિદ્યમાન, બાહા અને અનિત્ય એવું પણ દાન સત્પાત્રને નથી આપી શકતો, તે બિચારે તુચ્છ” દુર્ધર એવા શીલને કેવી રીતે ધારણ કરે? કારણકે, દાન આપવા લાયક વસ્તુ, દાન આપવાની શક્તિ અને સત્પાત્રને સમાગમ એ સર્વ સામગ્રી પૂર્વના પુવડે કે ભાગ્યશાલી પુરૂષને જ પ્રાપ્ત થાય છે. વળી કેટલાક પ્રાણુઓ પિતાનું જીવિત પણ સંદેહસ્થાનમાં મૂકી સમુદ્રમાર્ગે ચાલે છે અને દ્વીપાંતર જાય છે. છતાં કોડિ માત્ર પણ પ્રાપ્ત કરતા નથી. તેમજ કેટલાક લોકો પ્રાચીન પુણ્યાગે મહા કષ્ટ ધન મેળવે છે પરંતુ તેઓ સ્વાભાવિક પણુતાને લીધે તે ધનમાંથી કિંચિત માત્ર પણ સન્માગે વાપરી શકતા નથી. અને પ્રાણાતમાં પણ તેઓને દાન રૂચી થતી નથી. વળી કહ્યું છે કે-દાની જનેની હસ્તપરંપરામાં પરિવર્તન કરવાના ખેથી શાંત થયેલી સંપત્તિઓ, કૃપણ જનેના ઘરની અંદર આવી સ્વસ્થ અવસ્થામાં નિદ્રિત થયેલી હોય તેમ જણાય છે. તેમજ આદરપૂર્વક વૃદ્ધિ પમાડેલી, અને નિરંતર બહુ પ્રયત્ન વડે રક્ષણ કરેલી, કૃપણ પુરૂષોની ધન સંપત્તિ, કુમારીની માફક પરપગી છે. વળી કેટલાકને ધન સંપત્તિ પણ પ્રાપ્ત થાય છે અને દાન શકિત પણ હોય છે. છતાં પણ સત્પાત્રને સમાગમ દુર્લભ થાય છે. કારણકે સર્વ આરંભથી નિવૃત્ત થયેલા, નિર્મલ ચિતવાળા, પવિત્ર એવા ચારિત્રના પાલન કરનાર અને નિષ્કારણ દયા રસીથી વ્યાત એવા સુપાત્રને સંયોગ આ જગતમાં કવચિત જ મળી શકે છે. માટે હવે અધિક શું કહેવું ? જે સંસાર સાગર તરવાની ઈચ્છા હોય તે ધનવાન્ પુરૂષેએ પિતાની લક્ષ્મીને સદુપયેગ સૂત્ર વિધિ પ્રમાણે સુપાત્રમાં કરી લે. કારણકે
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy