SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪) શ્રીસુપા નાચરિત્ર. ચાર કહેવાય. વળી જે મુનિને જોઇ કાપ કરે તેમજ ઇર્ષાને લીધે ક્રોધ વશ થઇ દાન આપે છે તેને મત્સરદાન કહ્યું છે. આ પ્રમાભેના અતિચાર રહિત અતિથિ સંવિભાગ નામે વ્રતને જે પાળે છે તે ઉભય લાકમાં બહુ સુખ ભાગવે છે. એ પ્રમાણે દેશના સાંભળી સમગ્ર સભા ઉભી થઇ એટલે લક્ષ્મીએ અતિથિસ વિભાગના અભિગ્રહ લીધે. અને સૂરિને વિનતિ કરી કે, હે ભગવાન ! કૃપા કરી આપના મુનિઓને ભિક્ષા માટે હમેશાં મ્હારે ત્યાં માકલવા. એમ કહી. તે પેાતાને ઘેર ગઇ. અને પુત્રની ઈચ્છાથી તે ધર્મ પાલન કરે છે, પરંતુ ધર્મ બુદ્ધિથી કરતી નથી. વળી પ્રાચીન કર્મને લીધે તેને પુત્ર થયા નહીં તેથી તેની દાનની પ્રતિજ્ઞા શિથિલ પડી ગઇ. છતાં પણ લૈાકિક વૃત્તિ વડે હુમ્મેશાં મુનિ આને કંઇક દાન આપે છે. અન્યથા કાંઇક મહાત્સવના પ્રસંગે લક્ષ્મીએ બહુ પ્રકારની રસાઇ કરાવી અને સર્વ સમધીઓને જમવા માટે પેાતાને ત્યાં ખેલાવ્યા. તેવામાં ત્યાં મુનિઓને આવતા જોઇ લક્ષ્મીએ મુદ્ગપિડિકા (મગની ઢગલી) ઉપર દાળ, ભાતનાં વાસણ મૂકી દીધાં, અને તેમની ઉપર પકવાનનાં વાસણ ગાઠવી દીધાં. તેટલામાં મુનિએ ત્યાં આવ્યા અને ધર્મલાભ આપી ઉભા રહ્યા. લક્ષ્મીએ ઉભી થઇને વંદન કર્યું અને વ્હારાવા માટે ઢાળ, ભાત લઇ આવી, એટલે મુનિએ ખેલ્યા, આ આહાર અમ ને કલ્પે નહીં, કારણ કે સચિત વસ્તુ ઉપર આ રસેાઈ મુકેલી છે. લક્ષ્મી લેાકાને સંભળાવવા માટે પેાતાને નિદ્મવા લાગી કે, હા હા ! હું નિર્ભાગીણી છું. કારણકે, મુનિએ પધાર્યા છતાં તેમને કલ્પે તેવું પ્રાણુક અને એષણીય કઇ પણ મ્હે' રાખ્યું નહીં. હવે મ્હારે તેમની ભકિત કેવી રીતે કરવી ? વળી ક્રોધ કરી પેાતાની લક્ષ્મીનાકપટ ભાવ.
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy