SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ મલયકેતુની કથા.. (૩૮૭) શાશ્વત જન પ્રતિમાં વાંદવા માટે મેરૂશિખર ઉપર લઈ જાઉં. તે સાંભળીને રાજાએ વિચાર કર્યો કે, સ્વાધ્યાય કરવાના પ્રમાણથી હજુ અર્ધ રાત્રી થઈ છે, અને આ સર્વ દેવ માયા છે એમ જાણી રાજાએ પિષધ પાળે નહીં અને ઉત્તર આપ્યા વિના પિતાને સ્વાધ્યાય કરવા લાગ્યું. તેથી તે દેવ બહુ કુપિત થયે અને અનેક પ્રકારની તેને દારૂણ વેદનાઓ કરવા લાગ્યા. જેથી રાજાનાં નેત્ર, કાન, મુખ, વિગેરે અંગે બહુ પીડાવા લાગ્યાં. તે પણ રાજા સમસ્ત વેદનાઓ સહન કરીને ભાવના ભાવવા લાગ્યો કે, રે જીવ! સ્વાધિન દશામાં ક્ષણમાત્ર વેદનાઓ સહન કર. કારણ કે, નરકાવાસમાં પરાધિનપણે પામ તથા સાગરેપમ સુધી તેવાં અનેક દુખે હું સહન કર્યા છે. માટે હાલમાં દેવતાએ રચેલી વેદનાઓથી પણ તું ઉદ્વિગ્ન થઈશ નહીં. તેમજ પરમ ઉપકરી એવા આ દેવ ઉપર દ્વેષ પણ કરીશ નહીં. કારણકે, ઘણુ કાલે દવા લાયક એવાં કર્મને હાલમાં આ દેવ તીવ્ર વેદનાઓ વડે ક્ષીણ કરાવે છે. માટે હે જીવ! તું સિદ્ધ પરમાત્માની સાક્ષીએ સર્વ દુશ્ચર્તિનું પાચન કર. અને સર્વ પ્રાણીઓની ક્ષમા માંગ. એ પ્રમાણે રાજા ચિંતવતો હતું, તેટલામાં તે દેવે પિતાના જ્ઞાનથી જાણ્યું કે, આ રાજા પિષધમાંથી કિંચિત માત્ર પણ ચલિત થયે નથી, એમ તેની દ્રઢ શ્રદ્ધા જોઈ સર્વ વેદનાઓને સંહાર કરી દેવ પોતે ક્ષમા માગવા લાગ્યો કે, હે મહાશય ! હાલમાં અજ્ઞાન, પ્રમાદ, અને દ્વેષને લીધે નિકારણ વેર બુદ્ધિથી મહેં હને બહુ વેદનાઓ કરી હેની હું ક્ષમા માગું છું. રાજા બેલે, હે સુરેશ? એમાં ત્યારે કંઈ દેખ નથી. માત્ર મહારા અશુભ કર્મના ઉદયને લીધે હારે આ વેદનાઓ વેઠવી પડી. વળી પિતાના શુદ્ધ પરિણામના પ્રભાવને લીધે તેમજ હારી સહાયતાને લીધે અમને કંઈ પણ કઠીન
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy