SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શયની સ્થા. (૧૩૧) અને તમને જેમ લાગે તેમ કરો. હવે તે મંત્રીઓએ પણ તે ન જાણે તેવી રીતે કરંડીઆમાં ભેટ નાખી તાળુ દઈને તેની ઉપર શીલ કર્યું અને મહામંત્રીને કરંડીયે સોંપી દીધે. એટલે કેશલ મંત્રી પણ કેટલાક પરિવારને સાથે લઈ પોતાની હદ છેડી ગિરિનગરમાં ગયો. રાજદ્વારમાં ગયા પછી દ્વારપાળે અંદર પ્રવેશ કરાવ્યો. મંત્રી પણ રાજાને નમસ્કાર કરી ભેટને કરંડીયે આ ગળ મૂકી ગ્ય આસન ઉપર બેઠે. રાજાએ કરંડીયાનું શીલ તેડીને અંદર જોયું તે ચંદ્ર અને શંકરના હાસ્યસમાન ઉજવળ ભસ્મ જોઈ. જેથી રાજાની ભ્રકુટી ફરી ગઈ. તેથી તેણે મંત્રીને કહ્યું કે ત્યારે રાજા બહુ નિર્ધન તેમજ નીતિહીન જણાય છે. કારણ કે હારી ભેટમાં હારા રાજાએ રાખ મોકલી છે તો ઠીક, શું તું અહીં મરવા માટે આવ્યા છે? તું અહીંથી જલદી ચાલે જા, કારણ કે દૂત અવધ્ય હોય છે તેથી તેને મુક્ત કરું છું. તેથી તું ત્યાં જઈને હારા અધિપતિને નિવેદન કર. કે, રાખના ભેટાથી કપાયમાન થએલો રિપુગંજ રાજા થોડા જ વખતમાં તેનું ફળ તમને બતાવશે. તે સાંભળી કેશલ બે હે નરેશ્વર ! આ પ્રમાણે એકદમ કોપાયમાન થવાનું કંઈ પણ કારણ નથી. હિત કે અહિતને સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરે. પછી રાજાએ તેને જ તે સંબંધી પૂછ્યું. ત્યારે તે બે હે રાજની હારી સ્વામિએ ચાર રસ્તાઓ વચ્ચે રાત્રીના સમયે અંધયિત્રી નામે ગિની વિદ્યાની સાધના કરી તેથી સિદ્ધ થઈ તેણીએ મંત્ર સિદ્ધ આ ચમત્કારી ભસ્મ આપીને કહ્યું કે જે આ ભરમનું એકવાર લલાટમાં તિલક કરશે તેને ડાકિની, શાકિની, ગિની, ભયંકરતાલ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પ્રેત વિગેરે કોઈપણ દુષ્ટ પ્રાણીઓને ભય થશે નહીં. તે સાંભળી ગિનીએ આપેલી ભસ્મનું તિલક રાજાએ પ્રથમ કર્યું. પછી થોડી થોડી રાણીઓને
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy