SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ દેશલની કથા. ( ૧૨૯ ) કરવાથી જેનું હિત થવાનું છે તે વસ્તુ તેઓને તેમના પિતાએ આપેલી છે. વળી તે રચના પણ ખાસ ઉપદેશ માટે કરેલી છે. જેના કલશમાં માટી ભરેલી છે, તેના ભાગમાં ક્ષેત્ર અને ખળાનાં ધાન્યાદિકની સર્વ સંપત્તિએ સમજવી. કારણ કે જે ખેતીના કામમાં બહુ હુંશીયાર છે તે એનાથી જ જીવન ચલાવશે. તેમજ જેના કલશમાં અસ્થિ (હાડકાં) ભરેલાં છે તેના ભાગમાં ગાય, બળદ, ઘોડા, હાથી વિગેરે સર્વ પશુ જાણવાં. તેઓનું પોષણ કરવાથી જ તેનું હિત થવાનું છે એમ ઉપદેશ આપે છે. જેના કલશમાં લેખ પત્ર ભરેલા છે, તેના વિભાગમાં દેણદારેનું સર્વ ધન જાણવું. કારણ કે તે ધીરધારને બંધ કરી પિતાનું હિત સાધી શકશે. વળી જે નાને પુત્ર કે જે કૃષિ વિગેરે અન્ય કાર્યોમાં અશક્ત છે તે રત્નાદિક ધનવડે બહુ કાલ સુધી નિર્વાહ કરશે એમ સમજી તય્યારી ગ્યતા પ્રમાણે બહુ પ્રેમથી તન્હારા પિતાએ થોડું ઘણું પણ જે કંઈ આપેલું છે તે બહુ વિચાર કરીને આપેલું છે એમ મહારું સમજવું છે. માટે તુચ્છ લક્ષમી માટે પરસ્પર વૈર ન કરે. પિતાનાં વચન સંભારે. કારણકે સહદરનો સંબંધ આ દુનીયામાં બહુ દુર્લભ છે. કારણ કે બહુ પાલન પષણ કરેલા એવા પણ અન્ય સ્વજને છુટા પડે છે. પરંતુ દુખાવસ્થામાં કોપાયમાન થયેલા એવા પણ સહોદરે જ સહાયભૂત થાય છે. માટે તખ્તાર અને અન્ય કલેશ કરે ઉચિત નથી. - ત્યારબાદ ભૂપતિએ શેઠના મોટા પુત્રને પૂછ્યું કે હારા, કલશમાં ધાન્ય કેટલું છે. ત્યારે તે બે કેશલને પ્રભાવ. હે દેવ? એક લાખ મુડાથી પણ કંઈક વધારે I દેખાય છે તેમજ બીજાને પૂછવાથી તેણે કહ્યું કે હાથી, ઘોડા, ઉંટ વિગેરે પશુઓ દશ હજાર છે. ત્રીજાને
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy