SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૮) શ્રીસુપાર્શ્વનાથચરિત્ર પણ બોધ આપી બહુ સમજાવ્યું. પરંતુ તેઓ શાંત થયા નહીં. છેવટે તેઓ રાજા પાસે ગયા. ત્યાં નાનાભાઈએ સર્વ ભાઈઓનું વૃત્તાંત સંભળાવ્યું. તે સાંભળી રાજાએ કહ્યું કે શ્રમણ શેઠ અને ન્યાય કરે તેવા હતા નહીં; કારણ કે તે જૈનધર્મમાં નિશ્ચલ હતા. અને બુદ્ધિમાં પણ બૃહસ્પતિ સમાન સમર્થ હતા. કેઈ પણ પ્રકારે તેમનામાં કપટકલા હતી જ નહીં. માટે આ કલશોની અંદર મૃત્તિકાદિક નાખીને પૃથ્વીમાં દાટી સ્વજન સમક્ષ જે કહેલું છે તે બહુ બુદ્ધિથી વિચારવા જેવું છે. એમ સમજી રાજાએ સર્વ મંત્રીઓને બોલાવી લાવવાને હુકમ કર્યો કે તરત જ પ્રતીહારી સર્વ મંત્રીઓને બોલાવી લાવ્યો. એટલે રાજાએ તેઓને કહ્યું કે આ ચારે ભાઈઓ છે. તેમાં ત્રણ સ્ફોટાઓના કલશેમાં મૃત્તિકાદિક વસ્તુઓ ભરેલી છે અને ચોથા ભાઈના કલશમાં રત્ન ભરેલાં છે તે તેના પિતાને આવી રીતે પક્ષપાત કરવાનું શું કારણ?આ સંબંધી વિચાર કરી જલ્દી આને ખુલાસે આપો. સૂક્ષ્મબુદ્ધિના પ્રતાપથી સર્વ મંત્રીઓ પણ પરસ્પર વિચાર કરી બેલ્યા કે હે નરેંદ્ર? આ વાતનું ખરૂં તાત્પર્ય શું છે તે અમે જાણી શકતા નથી. ત્યારબાદ ભૂપતિએ પિતાના નગરમાં પટહ વગડાવ્યું અને જાહેર કરાવ્યું કે આ કલશોની ખરી હકીવેશ્રમશેઠની કત જાણ જે પુરૂષ આ વિવાદને ન્યાય બુદ્ધિ આપશે તેને મહારા સર્વ મંત્રીઓને ઉપરી હું કરીશ. તે સાંભળી પિતાની બુદ્ધિનો પ્રકાશ કરવા માટે એક વણિક પુત્રે તે પહને સ્પર્શ કર્યો. તેથી તેને રાજાની પાસે લઈ ગયા. રાજાએ તેની આગળ સર્વ કલશનું વૃત્તાંત નિવેદન કર્યું. પછી તેનું ખરૂં તાત્પર્ય જાણીને તે બે --હે નરેદ્ર! જે પુત્ર જે કાર્યમાં કુશલ છે અને જે કામ
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy