________________
૨૦
સુભટને ક્ષણમાં હજાર ખાણા વડે એકલાજ પરાજિત કરે છે. આ ચતુરાઇ અને વીરતા જોઇ તેને પેાતાની સાથે જમાઇ તરીકે પસંદ કરી લઈ જાય છે. તે જોશીના કથનાનુસાર સાતમે દિવસે લગ્ન નક્કી કરે છે.
પ્રતિહારે એક વૈશ્ય વિજ્ઞાન શાસ્ત્રીને મહા પરિશ્રમે શેાધી કહાડી તેના અનાવેલા અદ્ભુત કારીગરીવાળા રથમાં બેસી તે સૂત્રધારને પોતાના સ્થળે જવા સૂચવતાં તે સૂત્રધાર તે યત્રાવાળા રથને આકાશમાર્ગે ભમાવી કીલિકાપ્રયાગવડે ધરણીતિલક રાજા પાસે લઈ ગયા. ત્યાં તેની તે કુમારીની મુલાકાત થઇ તે કુમારીએ તેને પસંદ કર્યાં તે તે સૂત્રધાર ત્યાંજ રહ્યો.
સ્થગિધરે ભ્રમણ કરતાં એક ત્રિકાળદર્શી સુદન નામે ઉત્તમ નૈમિત્તિકને શેાધી કાઢવો અને પોતેજ ત્યાં આવી તેણે સાતમે દિવસે લગ્ન નિધાર્યું. હવે સુભટ–થકાર ને નૈમિત્તિક એ ત્રણે કુમારીના ઉમેદવાર થયા.
એટલામાં કાઇક તે તિલાત્તમા કુમારીને હરી ગયા. રાજાએ નિમિતીઆને પુછતાં તેણે બતાવેલ સ્થળે રથકારના રથની મદદવડે તે સુભટ વિંધ્યારવીમાં ગયા તા ત્યાં એક પુરૂષ તે કન્યાને મધુર વચને વિનવતા જોયા. તેને આવાહન કરી હરાવી કન્યાને રાજા પાસે લાવવામાં આવે છે અને તે ત્રણે જણ કન્યાને પરણવા પરસ્પર લઢે છે. અંતે સૌએ પેાતાતાના પ્રભાવથી કન્યાને લાવવામાં કરેલી મદદ જણાવી પણ આખરે સુભટને તે કન્યા વરી તે બીજા એ વિલખા થઈ પાછા ફર્યા.
આમાં પૂર્વકાલીન કળાઓને આદર્શ આપણી સમક્ષ રજુ થાય છે. એકજ માણસ હજાર ખાણુ સામટાં છેડી દુશ્મનને પરાજીત કરી શકે એ ખળ–કળનું અદ્દભુત દન અહીં થાય છે. સૂત્રધાર યંત્રોદ્રારા શ્ બનાવી આકાશમાં ઉડાવી નિમેષમાત્રમાં ઇચ્છેલ ઠેકાણે પહેાંચે. એકલા કારીગરીના આદર્શ તથા નૈમિત્તિક જ્ઞાનથી કાણ કયાં હશે તેની ખબર મેળવી તે કામે લગાડી શકાય એ જ્ઞાનની વિશિષ્ટતા !
હવે રથકાર કુમારીને પામી ન શકવાથી પોતાનાં સ્વજન, સંપત્તિ, ધન, પરિજન કે વિજ્ઞાનને અફળ માનતા જીવિત પરિત્યાગ કરવા ઉંચા પર્વતના શિખર પર જતાં ત્યાં ધ્યાનસ્થ મુનિને જોતાં તેમની પાસે જઇ વંદન કરી બેસતાં મુનિએ પુછતાં સ` વૃતાંત તેમને સંભળાવી દે છે.