SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૨) શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. તેણીએ ઠાકોરને સર્વ ઈતિહાસ કહ્યો. તે પણ સંતુષ્ટ થઈ બે હે મૃગાશિ ? આ હારું કાર્ય જરૂર હું સિદ્ધ કરી આપીશ. પરંતુ અમારૂં હદય પણ ત્યારે શાંત કરવું પડશે. સ્ત્રી બેલી અમારાથી બને તેમ હશે તો અમે કરીશું. આ દેહ જલબિંદુ સમાન અસ્થિર છે, માટે સજ્જનના કાર્યમાં જે તે ઉપયેગી થાય તે તે સારભૂત ગણાય. એ પ્રમાણે શેઠાણીનું વચન સાંભળી આનંદિત થઈ તે બે. હે ચાર્વગી? હું તે હાલમાં જ તૈયાર છું. ત્યારબાદ તેણુએ પણ પ્રત્યુત્તરમાં તેને કહ્યું કે એકમની રાત્રીએ બીજા પ્રહરે તમારે મહારી પાસે આવવું. એમ કહી ત્યાંથી નગરશેઠ તથા દુર્ગપાળને ત્યાં તે ગઈ. તેઓ પણ તેને આવતી જોઈ વિચાર કરવા લાગ્યા કે વર્ષારૂતુની લહમી સમાન ઉન્નત પધર (મેઘ સ્તન) છે જેના એવી, અને ધનુષ લતાની માફક ગુણ (દેરી–દયાદિગુણે) વડે યુક્ત, ખર્કલતાની માફક ઉત્તમ ધારા (હાર) વડે વિભૂષિત છે વક્ષસ્થળ જેનું તેમજ સંસારસુખની માફક અત્યંત સૂક્ષ્મ છે મધ્યભાગ જેને એવી આ સ્ત્રી દેખાય છે. ક્ષણમાત્રમાં તે તેઓની પાસે ગઈ અને પૂર્વની પેઠે તેઓને પણ જવાબ આપે. તેથી તેઓએ પણ તેના કહ્યા પ્રમાણે કબુલ કર્યું. નગર શેઠને ત્રીજે પ્રહરે તથા દુગપાળને ચોથા પ્રહરે આવવાનું કહી ત્યાંથી તે સ્ત્રી પણ પિતાને ઘેર આવી. - બીજે દિવસે પ્રભાતકાળમાં પોતાની દાસીને શેઠાણીએ કહ્યું કે આજે મારે વિશેષ પ્રકારે સ્નાન કરમંત્રીવિગેરેની વાનું છે માટે ઉષ્ણ જળ અને ચંદનાદિક વિડન. સવ સાધનો વધારે તૈયાર કર દાસાએ પણ કહ્યા પ્રમાણે સ્નાનની સર્વ સામગ્રી તૈયાર કરી બાદ દિવસ અસ્ત થયે એટલે રાત્રીના પ્રથમ પ્રહરે
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy