SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૪) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. વિલા સિદ્ધ થયા બાદ વિદ્યાધરની સાથે તે વૈતાઢ્ય પર્વતમાં ગયે. કેટલાક દિવસ ત્યાં રહી વિદ્યાધર પાસેથી બીજી કેટલીક વિદ્યાઓ શીખીને પોતે સિદ્ધ કરી. ત્યારબાદ ત્યાંથી તે સુયશ ગજપુર નગરમાં ગયો. ત્યાં તે નગરના રાજાની સ્ત્રી સૈભાગ્યશ્રીના પ્રસવ સમયે અદશ્ય રૂપ કરી સુયશે તેની પાસે આવી તેના મરેલા પુત્રને અપહાર કર્યો અને પોતે મોરનું સ્વરૂપ ધારણ કરી ત્યાં આગળ રહ્યો. જેથી સૂતિ કામ કરનારી સ્ત્રી બેલી કે, રાણીને મેર જમ્યો છે. એ પ્રમાણે દાસીઓએ રાજાને સંભળાવ્યું. રાજાએ પણ નિમિત્તવેત્તાઓને બોલાવીને પૂછ્યું કે, રાણીને મોર જન્મે છે તેનું શું કારણ નૈમિત્તિક લોકો બેલ્યા, હે નરેશ્વર ! મેરને જન્મ બહુ અશુભ ગણાય છે. માટે જે મોર સહિત રાણ ત્યાગ નહીં કરે તે તેમાંથી મોટું વિશ્વ થશે. રાજાએ તે જ વખતે સેનાપતિને હુકમ કર્યો કે, મેર સહિત રાણીને શૂન્ય જંગલમાં મૂકી આવે. સેનાપતિ તરત જ હુકમ પ્રમાણે કરૂણ શબ્દથી રૂદન કરતી રાણીને મોટા અરણયમાં મૂકી આવ્યો. હવે મેર પિતાનું સ્વરૂપ પ્રગટ કરી પુરૂષ થયે અને સુરે. દ્રની માફક સુંદર દીપવા લાગ્યો. ત્યારબાદ વિદ્યાને પ્રભાવ, રાણીને પ્રણામ કરી સુયશ મધુર વચને વડે શાંત કરી બોલ્યા, હે માતા ! હવે રૂદન કરવાની કંઈ જરૂર નથી. પિતાના પુત્રને મહિમા જેઈલે એમ કહી તેણે સિદ્ધ વિદ્યાનું સમરણ કર્યું. એટલે માત્રમાં વિદ્યાદેવીએ તેના વચનથી ધનધાન્ય હિરણય, સુવર્ણમય બાવન જીનાલય, મનહર હવેલીઓથી સુશોભિત બહુ સમૃદ્ધિવાળું અને સપ્રાકાર (સર્પગાર) કિલ્લા સહિત (સર્પોનું સ્થાનભૂતવનગ્રહ) સમાન એક ભવ્ય રાજનગર બનાવ્યું. ત્યારબાદ બહુદ્રવ્ય વૈભવ
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy