SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ a પણ તેની યા. એટલામાં ઉભેલા તે લેકે સુયશછિની કથા. (૩) તેના પિતા પાસે લાવ્યા. પિતા ઘેર નહીં હોવાથી તેઓ તેનું મસ્તક છેદવાને પ્રારંભ કરતા હતા તેટલામાં તે સુયશ બે, ભાઈઓ ! મહને મારશે નહીં. બગીચાની અંદર મહારા પિતાએ ધન દાટ્યું છે. ચાલો! હું તમને બતાવું. એમ કહી તેઓને ત્યાં લઈ ગયા. અને કપટ વડે એક સ્થાન બતાવ્યું એટલે તેઓ દવામાં પડ્યા. તેથી સુયશ દૂર નાશી ગયે અને તેજ ઉદ્યાનમાં જીનેંદ્ર ભગવાન શ્રી અજીતનાથ પ્રભુનું મંદિર હતું તેમાં તે ભગવાનનું શરણુ લઈ સંતાઈ ગયો. જુગારી લોકો પણ તેની પાછળ દોડતા આવ્યા. દ્વારમાં પેસતાં કેઈક શ્રાવકે તેમને રોક્યા. એટલામાં સુદંષ્ટ્ર નામે વિદ્યાધર ત્યાં આવ્યું. અને દ્વારમાં ઉઘાડી તરવારે ઉભેલા તે લેકે તેના લેવામાં આવ્યા. એટલે તેણે શ્રાવકને પૂછ્યું કે આ લેક શામાટે નગ્ન તરવારે લઈ ઉભા છે? તે શ્રાવક બેલે, આ જીનેંદ્ર ભગવાનને શરણ આવેલું છે. માટે તેમને આ માણસ હું નહીં આપું. એમ હકીકત સાંભળી તે વિદ્યાધર સુયશને પિતાના વિમાનમાં બેસાડી નંદીશ્વર દ્વીપમાં ગયે. નંદીશ્વર દ્વીપમાં ઉતરી બાવન જિનાલય જેઈ સુયશના હૃદયમાં એ કેઈ અપૂર્વ આનંદ પ્રગટ વિદ્યાસિદ્ધિ થયે કે જેથી ક્ષણમાત્રમાં સૂર્યના દર્શનથી અંધકારની માફક પૂર્વાર્જત પાપ કર્મ ક્ષીણ થઈ ગયાં. ત્યારબાદ સુયશે ચારણમુનિને વંદન કરી વિદ્યાધર સહિત તેણે પિતે મુનીંદ્રની પાસે બાર પ્રકારનો શ્રાવક ધર્મ સાંભળે. અને તે જ પ્રમાણે આનંદપૂર્વક તે ધમને તેણે સ્વી" કાર કર્યો. વળી જીવન પર્યંત તેણે જુગારનો નિયમ લીધે. તેથી વિદ્યાધર બહુ ખુશી થયે અને સુયશને મારી નામની વિદ્યા. આપી. ત્યારબાદ સુયશે વિધિ સહિત તેને સ્વીકાર કર્યો. પછી
SR No.005816
Book TitleSuparshvanath Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherZZZ Unknown
Publication Year
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy