________________
૬પ
સરળ ગુજરાતી વ્યાકરણ
ત્રીજા વાક્યમાં ગુરુવિરામ પછી સ્પષ્ટતા કરવામાં આવી છે.
આ રીતે કોઈ બાબત સ્પષ્ટ કરવા આગળ જે કહેવાનું હોય છે ત્યારે તેનો ઉપયોગ થાય છે. ગુરુવિરામ પાસે પૂર્ણવિરામ જેટલો વિરામ લઈને આપણે આગળ વધીએ છીએ.
ગુરુવિરામનો ઉપયોગ નીચે પ્રમાણે થાય છે : (૧) ગુરુવિરામની નિશાની (૯) છે.
(૨) વસ્તુઓની ગણતરી કરવા માટે વાક્યમાં તેનો ઉપયોગ થાય છે.
(૩) કોઈના બોલેલા શબ્દો રજૂ કરવા ગુરુવિરામનો ઉપયોગ થાય છે.
(૪) કોઈ હેતુ, કામ કે નિશ્ચય સ્પષ્ટ કરવા તેનો ઉપયોગ થાય છે.
(૫) પૂર્ણવિરામ જેટલો વિરામ ગુરુવિરામ પાસે લઈએ છીએ. અવતરણચિહ્ન : (“ ').
નીચેનાં વાક્યો વાંચો : ગીતાએ શું કહ્યું ? ગીતાએ કહ્યું, “હું આવીશ.” કોણ કોને વાત કરે છે ? કોણ પૂછે છે? કોને પૂછે છે? શું પૂછે
છે ?
દિલીપ કુમારને પૂછ્યું, ‘તું ક્યાં જાય છે ?' કુમારે કહ્યું, ‘હું ઘેર જાઉં છું.'
ગીતા, દિલીપ અને કુમારના બોલાયેલા શબ્દો “' આવા ચિહ્ન વચ્ચે મુકાયા છે. આ “ ' ચિનને અવતરણચિહ્ન કહે છે. કોઈના કહેલા કે લખેલા શબ્દો રજૂ કરવા માટે અવતરણચિનનો ઉપયોગ થાય છે.
- વિરામચિહ્નો
પૂર્ણવિરામ અલ્પવિરામ અર્ધવિરામ ગુરુવિરામ પ્રશ્ચર્થચિહ્ન આશ્ચર્યવિરામ અવતરણચિહ્ન (.) () ;) (:) (?) (!) (* ') -