________________
૯. વિરામચિહ્નો
આપણે જે કાંઈ લખીએ છીએ તેનો સામાન્ય હેતુ આપણા વિચારો કે આપણે જે કાંઈ કહેવું છે તે બીજાને જણાવવાનો હોય છે. આપણું એ ‘કહેવાનું’ કે આપણા ‘ભાવો’ વાચક સ્પષ્ટ રીતે સમજી શકે તે માટે સ્પષ્ટ લખાણની જરૂર હોય છે. એ સ્પષ્ટ લખાણ માટે વિરામચિહ્નોની જરૂર છે.
મુખ્ય વિરામચિહ્નો નીચે મુજબ છે : (૧) પૂર્ણવિરામ (.) (૨) અલ્પવિરામ (,)
૧. પૂર્ણવિરામ ઃ (.)
(૩) પ્રશ્નાર્થચિહ્ન (?) (૪) આશ્ચર્યવિરામ (!)
પૂર્ણવિરામ ક્યાં ક્યાં મુકાય ?
(ક) સાદા કે નિશ્ચયાત્મક વાક્યના અંતે ઃ (૧) શિક્ષક કવિતા શીખવે છે.
(૨) મોરના ટહુકા એક પારધીએ સાંભળ્યા. (૩) અશોક મહાન રાજા હતો.
(ખ) આજ્ઞાર્થ વાક્યના અંતે ઃ (૧) વર્ગમાં તોફાન ન કરો. (૨) હંમેશાં સાચું બોલો. (૩) તમે ત્યાં જાઓ.
(ગ) સંક્ષિપ્ત-ટૂંકાં રૂપોની પાછળ : (૧) મે. (મહેરબાન) મણિભાઈ
(૨) રા.રા. (રાજમાન રાજેશ્રી) પટેલ સાહેબ (૩) ચિ. (ચિરંજીવી) નેહ
(૪) લિ. (લિખીતંગ) શૈલના પ્રણામ... વગેરે. ૨. અલ્પવિરામ : (,)
અલ્પવિરામ નીચે મુજબ વાપરી શકાય : (અ) લાંબાં વાક્યોમાં અધૂરાં વાક્યોને અંતે,
(૧) વ્યાકરણ શીખવા માટે, સારા નિબંધ લખવા માટે, પત્ર
૬૧