SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. વિરામચિહ્નો આપણે જે કાંઈ લખીએ છીએ તેનો સામાન્ય હેતુ આપણા વિચારો કે આપણે જે કાંઈ કહેવું છે તે બીજાને જણાવવાનો હોય છે. આપણું એ ‘કહેવાનું’ કે આપણા ‘ભાવો’ વાચક સ્પષ્ટ રીતે સમજી શકે તે માટે સ્પષ્ટ લખાણની જરૂર હોય છે. એ સ્પષ્ટ લખાણ માટે વિરામચિહ્નોની જરૂર છે. મુખ્ય વિરામચિહ્નો નીચે મુજબ છે : (૧) પૂર્ણવિરામ (.) (૨) અલ્પવિરામ (,) ૧. પૂર્ણવિરામ ઃ (.) (૩) પ્રશ્નાર્થચિહ્ન (?) (૪) આશ્ચર્યવિરામ (!) પૂર્ણવિરામ ક્યાં ક્યાં મુકાય ? (ક) સાદા કે નિશ્ચયાત્મક વાક્યના અંતે ઃ (૧) શિક્ષક કવિતા શીખવે છે. (૨) મોરના ટહુકા એક પારધીએ સાંભળ્યા. (૩) અશોક મહાન રાજા હતો. (ખ) આજ્ઞાર્થ વાક્યના અંતે ઃ (૧) વર્ગમાં તોફાન ન કરો. (૨) હંમેશાં સાચું બોલો. (૩) તમે ત્યાં જાઓ. (ગ) સંક્ષિપ્ત-ટૂંકાં રૂપોની પાછળ : (૧) મે. (મહેરબાન) મણિભાઈ (૨) રા.રા. (રાજમાન રાજેશ્રી) પટેલ સાહેબ (૩) ચિ. (ચિરંજીવી) નેહ (૪) લિ. (લિખીતંગ) શૈલના પ્રણામ... વગેરે. ૨. અલ્પવિરામ : (,) અલ્પવિરામ નીચે મુજબ વાપરી શકાય : (અ) લાંબાં વાક્યોમાં અધૂરાં વાક્યોને અંતે, (૧) વ્યાકરણ શીખવા માટે, સારા નિબંધ લખવા માટે, પત્ર ૬૧
SR No.005811
Book TitleSaral Gujarati Vyakaran
Original Sutra AuthorN/A
AuthorBharat Thakar
PublisherShabdalok Prakashan
Publication Year1999
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy