________________
૧૨
સરળ ગુજરાતી વ્યાકરણ ફરી શકે છે. જેમ કે તમારે ખાવું છે. તમારે ખાવું છે ?" ધ્વનિ સાથે વ્યવસ્થા જોડાય ત્યારે જ અર્થબોધ થાય છે. પ્રાણીસૃષ્ટિમાં અવાજની વ્યવસ્થાની કોઈ ઘટમાળ નથી. પ્રાણીઓ અવાજ કરે, પણ એ અવાજ સૂચક છે. એ અવાજોની કોઈ વ્યવસ્થા થઈ શકે એવી નથી. એ ઘટના જ જુદી છે. લાગણીસૂચક અવાજોને ભાષાવ્યવસ્થા સાથે સંબંધ નથી. પ્રાણીઓના અવાજમાં પ્રાચર્ય, વૈવિધ્ય કે સૂક્ષ્મના કોઈ દિવસ આવી શકે નહિ. આપણે શબ્દોની નવી વ્યવસ્થિત યોજના દ્વારા નવો અર્થબોધ કરાવી શકીએ. આમ, ભાષામાં વ્યવસ્થા અને વૈવિધ્ય બને છે.
પણ એ ખ્યાલમાં રાખવાનું છે કે ભાષા વાચિક ધ્વનિરૂપ યાચ્છિક સંજ્ઞાઓની વ્યવસ્થા છે, ચિત્રરૂપ સંજ્ઞાઓની વ્યવસ્થા નથી. ધ્વનિ એટલે જેનું વહન અવાજ દ્વારા થઈ શકે છે. આ પ્રકારના અવાજો પ્રતીકો ઊભા કરે છે. પ્રત્યેક ભાષાના ઉદ્ગમમાં આ સૂત્ર રહેલું છે. પ્રત્યેક ભાષા પોતાના સંકેતો અથવા પ્રતીકોની બનેલી છે અને ભાષા ધ્વનિરૂપ સંજ્ઞાઓની બનેલી વ્યવસ્થા છે.
મનોવિજ્ઞાનમાં સંજ્ઞાના ત્રણ પ્રકાર છે. (૧) પદાર્થના જેવી જ સંજ્ઞા, મૂળ વસ્તુને તતૂપ સંજ્ઞા. દા.ત. મૂર્તિ, ફોટો. (૨) થોડે અંશે ચિત્રને મળતી હોય અથવા તો મૂળ વસ્તુને માત્ર સૂચવતી હોય તેવી સંજ્ઞા. દા.ત. બોર્ડ પરનું ખભે દફતર ભરાવીને જતા શાળાના વિદ્યાર્થીનું ચિત્ર. આ ચિત્ર એવું સૂચવે છે કે આગળ શાળા છે તેથી વાહન ધીમે હાંકો અથવા રેલવે ક્રોસિંગ આગળનું # આવું ચિત્ર પણ વાહન ધીમ હાંકવાનું સૂચક હોઈ શકે, આમાં મૂળ વસ્તુ સાથે તો સામ્ય હોય છે. (૩) મૂળ વસ્તુ સાથે કાંઈ જ સામ્ય હોતું નથી, પરંતુ mutual contacથી નક્કી કરવામાં આવે છે કે અમુક સંજ્ઞા હોય તો અમુક અર્થ ઘટાવવો. ભાષા ત્રીજા પ્રકારની સંજ્ઞા છે. કોઈ પણ અવાજને પદાર્થ સાથે આંતરિક સંબંધ નથી. માત્ર mutual contactથી યાચ્છિક રીતે નક્કી કરવામાં આવે છે. સમાજવ્યવસ્થા માટે યદેચ્છાથી સંજ્ઞાઓ નક્કી કરવામાં આવે છે. જેમ કે લાલ લીલી ઝંડીને અકસ્માત સાથે. કાળી પટ્ટી કે કાળા સાડલાને શોક સાથે કોઈ જ સંબંધ નથી. એ તો માત્ર યદચ્છા જ છે. આ સંજ્ઞાઓ સમયાનુસાર બદલાય છે. ઝાડ' શબ્દમાં ' અને હું