________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૧ જરૂરી છે. વ્યવસ્થા એટલે કોઈ પણ એક ઘટનાનો બીજી ઘટનાઘટનાઓ સાથેનો સંબંધભાવ. જો આવી વ્યવસ્થા ન હોય તો ડચકારાને ને તાળીના અવાજને જુદા કેવી રીતે પાડી શકીએ ? તાળીનો કે ડચકારાનો અવાજ “ક” કે “ગ” જેવા અવાજ સાથે મળી શકતો નથી. તે ગમે તે ધ્વનિની પહેલાં કે પછી આવી શકે, પણ “ક” કે “ગ” પછી અમુક જ ધ્વનિ આવી શકે એવા નિયમો છે. એટલે કે “ક” કે “ગ” પછી ક્યા શબ્દો આવે જેથી આકાંક્ષા ઊભી કરી શકાય. પણ ડચકારા કે તાળી પછી કોઈ આકાંક્ષા ઊભી કરી શકાય નહિ. ભાષામાં જો ભાષાકીય શબ્દો હોય તો તેનો અર્થ અવશ્ય થવો જોઈએ.
ભાષા પોતે જ વ્યવસ્થા છે અને તેમાં પણ કેટલીક પેટા વ્યવસ્થા છે. ક્રમ એ પણ વ્યવસ્થાનો ઘટક છે. જેમ કે અમુક ભાષામાં વિશેષણ વિશેષ્ય પછી આવે છે. આમ વ્યાકરણી ઘટકોની પણ વ્યવસ્થા હોય છે.
ભાષાનો વિચાર કરતાં આપણે આપોઆપ લિપિનો વિચાર કરવાનો રહે છે. ભાષા અને લિપિને કાંઈ જ સંબંધ નથી, કેમ કે તે તો માત્ર આકસ્મિક સંબંધ છે. લિપિ એ તો ભાષાને માત્ર દશ્ય સંજ્ઞાઓ (visible marks) વડે રજૂ કરવાનું સાધન છે. એકની એક ભાષાને જુદી જુદી લિપિમાં લખી શકાય. દા.ત. “મારે ઘેર જવું છે.' 'Mare ghar javun chhe.” “મારે ઘેર જવું છે !' આમ, 'Writing is not a language. It is a way of recording language by means of visible marks.' બીજી દલીલ એ છે કે, ફારસી અને ઉર્દની લિપિ એકસરખી છે. લખવાની ગમે તેટલી રીતો હોય છતાં ભાષા તો એક જ હોય. માનવી એક હોય છતાં તેના જુદા જુદા ફોટાઓ લઈ શકાય છે તે રીતે આપણે ભાષાને જુદી જુદી લિપિમાં લખીએ છીએ. જાપાનીઝ ભાષામાં લખવાની ત્રણ રીતો છે અને ચોથી રીત જાપાનીઓ વિકસાવી રહ્યા છે. ભાષામાં શિક્ષિતોની વસ્તી અલ્પ છે છતાં વાન્ગવ્યવહાર ચાલી રહ્યો છે. માટે ભાષાના અભ્યાસ માટે લખાણ-એટલે કે લિપિત્રના અભ્યાસની જરૂર નથી. નિરક્ષર માણસ લિપિ જાણ્યા સિવાય પણ ભાષા સારી રીતે જાણી શકે છે.
આરોહ અવરોહ પણ ભાષાની વ્યવસ્થાનું અંગ છે. આકાંક્ષા એ જ ભાષાવ્યવસ્થા છે. આરોહઅવરોહના ક્રમથી ગુજરાતી ભાષામાં અર્થ