________________
૨૧૦.
સરળ ગુજરાતી વ્યાકરણ
આમાં ત્રણ વાક્ય જોડાયેલાં છે. “તું આવીને મને કહી ગઈ એ વાક્ય બપોરે બા જરા સૂઈ ગઈ'નો સમય બતાવનારું વર્ધક વાક્ય છે, અને બાપુએ આપણા રામાના સુંદરને મારીને પૂરી દીધો છે. એ મુખ્ય વાક્યના કહી ગઈ” ક્રિયાપદનું કર્મ હોવાથી કર્મ-વાક્ય છે.
સંયોજક : ‘(જ્યારે) - ત્યારે, કે” વાક્યસંયોજન :
સાદાં વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યોરૂપે જોડવાં તેનું નામ વાક્યસંયોજન. સાદાં વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યોરૂપે જોડતી વખતે
(૧) એ વાક્યોનો અર્થ ધ્યાનમાં લેવો. (૨) સાદાં વાક્યોના અર્થ પરસ્પર ઉમેરાઈ શકે તેવા હોય
અથવા બંને વાક્યોનું મહત્ત્વ સમાન હોય તો ને, “અને', ‘તથા’, ‘તેમજ જેવાં ઉભયાન્વયી પદોનો ઉપયોગ કરીને વાક્યો જોડવાં. . સાદાં વાક્યોના અર્થ પરસ્પર વિરુદ્ધ કે વિકલ્પરૂપે હોય તો “પણ”, “પરંત'. ‘કિત. ‘છતાં, છતાં પણ. “તો પણ', ‘તેમ છતાં, કે’, ‘અથવા', “યા. ‘વા”, “અગર, કાં તો', ‘જો કે જેવાં ઉભયાન્વયી કે સંયોજક વાપરીને વાક્યો
જોડવાં. (૪) એક વાક્યમાં જે કહેલું હોય તેનું કારણ કે પરિણામ બીજા
વાક્યમાં જણાવ્યું હોય ત્યારે તેથી'; “એથી'. “એટલે,
‘માટે, કે જેવાં સંયોજક વાપરી વાક્યો જોડવાં. (૫) એક વાક્યના અર્થનો વધારો કે અર્થની પૂર્તિ બીજા વાક્યમાં
હોય ત્યારે “એટલે’, ‘એટલે કે, ‘અર્થાત્ જેવાં સંયોજક દ્વારા
વાક્યો જોડવાં. (૬) એક વાક્યમાં કોઈ સંજ્ઞા કે સર્વનામ હોય અને બીજું વાક્ય
તેના અર્થમાં વધારો કરતું હોય ત્યારે જે-તે, જ્યારે-ત્યારે
વગેરે સંયુક્ત સંયોજકો વાપરીને વાક્યો જોડવાં. (૭) એક વાક્યની ક્રિયાનો સમય બીજા વાક્ય દ્વારા દર્શાવાતો
હોય ત્યારે ‘જ્યારે-ત્યારે’, ‘જ્યાં સુધી ત્યાં સુધી જેવાં સંયુક્ત સંયોજકો દ્વારા વાક્યો જોડવાં.