________________
૨૦૬
સરળ ગુજરાતી વ્યાકરણ કર્મણિરચનામાં કે ભાવેરચનામાં કર્તા કેટલીક વાર તરફથી સાથે આવે છે, તો ક્યારેક ને અનુગ લે છે. જેમકે, ર્તરિવાક્ય
કર્મણિવાક્યભાવેવાક્ય ૧. એ સંસ્થા દરરોજ ગરીબોને . એ સંસ્થા તરફથી દરરોજ ભોજન આપે છે.
ગરીબોને ભોજન અપાય છે. ૨. તું સમજ્યો નહિ.
તને સમજાયું નહિ. હવે, નીચેના વાક્યો જુઓ : ૧. સરકારે સચિન તેંડુલકરનું બહુમાન કર્યું. (કર્તરિવાક્ય)
સરકાર તરફથી સચિન તેંડુલકરનું બહુમાન કરવામાં આવ્યું.
(કર્મણિવાક્ય). ૨. રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યાં. (કર્તરિવાક્ય) રાજા તરફથી ગરીબો માટે કેન્દ્રો ખોલવામાં આવ્યાં. (કર્મણિવાક્ય)
ઉપરનાં વાક્યો જોતાં જણાશે કે કર્મણિવાક્યમાં ક્યારેક વિધ્યર્થ કૃદંતને “માં અનુગ લગાડીને, સાથે આવવું)' ક્રિયાપદનું રૂપ વાપરવામાં આવે છે.
કર્મણિવાક્યમાં ક્યારેક કર્તા હોતો નથી, ત્યાં કર્મની પ્રધાનતાને લીધે કર્તાની અપેક્ષા હોતી નથી. આવું હોય ત્યારે એની કર્તરિ-રચના કરતી વખતે કોઈ કર્તા-પદ ઉમેરવાનું રહે છે, જેમ કે, કર્મણિ વાક્ય
કર્તરિ વાક્ય ૧. યુદ્ધ માત્ર લડાઈના
કોઈ પણ દેશ યુદ્ધ માત્ર મેદાન પર નથી લડાતું. લડાઈના મેદાન પર નથી
લડતો. ૨. બૂટ કાંઈ ખાસ
મેં / તેં/ તેણે બૂટ કંઈ ખાસ ઘસાયાં નહોતાં.
ઘસ્યાં નહોતાં. ટૂંકમાં કર્મણિરચના અને ભાવેરચનામાં ક્રિયાપદનું આ પ્રત્યયવાળું ખાસ રૂ૫ વપરાય છે; જેમ કે, કર + આ + = ‘કરાશે, કર્તરિરચનાનો કર્તા કર્મણિરચના અને ભાવેરચનામાં થી અનુગ સાથે આવે છે, જેમ કે, નેહથી, ધીરજથી, મારાથી વગેરે.