SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ સરળ ગુજરાતી વ્યાકરણ ૨૦૫ પ્રેરક વાક્યરચના - પુન:પ્રેરક વાક્યરચના પણ બનાવી શકાય છે. કર્તરિ, કર્મણિ અને ભાવે રચનાઓ : જે વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય એટલે કે કર્તાની સક્રિયતા દર્શાવાઈ હોય તેને કર્તરિવાક્ય કહે છે. કર્તરિવાજ્યમાં કેટલાંક ક્રિયાપદ રૂપો કર્તાને અનુસરે છે, તો કેટલાંક કર્મને અનુસરે છે : વર્તમાનકાળ, ભવિષ્યકાળ, આજ્ઞાર્થ, વર્તમાન કૃદંતનાં રૂપો કર્તાલક્ષી છે; તો ભૂતકાળ, ભૂતવૃંદ અને વિધ્યર્થ કૃદંતનાં રૂપો કર્મલક્ષી છે; જેમકે, કર્તાલક્ષી કર્તરિવાક્ય કર્મલક્ષી કર્તરિવાજ્ય (૧) હું તને પુસ્તક આપું છું. (૧) મેં તને પુસ્તક આપ્યું. તું મને પુસ્તક આપે છે. તે મને પુસ્તક આપ્યું. (૨) તું ગીત ગાજે. (૨) તારે કર્મ કરવું. તમે ગીત ગાજો. તમારે વાર્તા કહેવી. જે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય એટલે કે કર્મ કર્તાને સ્થાને હોય તેને કર્મણિવાક્ય કહે છે. કર્મણિવાક્યમાં ક્રિયાપદ કર્મને અનુસરે છે; જેમ કે, કર્તરિ વાક્ય કર્મણિ વાક્ય (૧) હું કવિતા ગાઉં છું. મારાથી કવિતા ગવાય છે. (૨) મેં દિલીપને વાત કહી. મારાથી દિલીપને વાત કહેવાઈ. (૩) તું તારી ફરજ બજાવવાનો- તારાથી તારી ફરજ બજાવાની નથી. નથી. (૪) એ લોકો વહેમને પોષી એ લોકોથી વહેમ પોષાઈ • રહ્યા છે. રહ્યો છે. કર્મ ન હોવાને કારણે જે વાક્યમાં ક્રિયાભાવની મુખ્યતા પ્રગટ થતી હોય અને કર્તા ક્રિયાને સહેનાર હોય તેને ભાવેવાક્ય કહે છે. ભાવેવાક્યમાં ક્રિયાપદ કર્તાથી સ્વતંત્ર રીતે ત્રીજો પુરુષ એકવચન અને નપુંસકલિંગમાં આવે છે; જેમ કે, કર્તરિવાક્ય ભાવેવાક્ય ૧. ધીરજ હવે લખશે.. . ધીરજથી હવે લખાશે. ૨. નેહ દોડે છે. નેહથી દોડાય છે. ૩. હું જઈશ નહિ.' મારાથી જવાશે નહિ. ૪. તું હસ્યો. તારાથી હસાયું.
SR No.005811
Book TitleSaral Gujarati Vyakaran
Original Sutra AuthorN/A
AuthorBharat Thakar
PublisherShabdalok Prakashan
Publication Year1999
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy