________________
૨૪
સરળ ગુજરાતી વ્યાકરણ આ વાક્યમાં પ્રેરક રચના કરતી વખતે “પ્રેરિત કર્તાઓ ઉમેરેલ છે. પ્રેરિત કર્તા એટલે જેની પાસે કામ કરાવ્યું હોય તે. ઉપરની પ્રેરક વાક્યરચનાઓમાં ‘પુલિન' અને હેતલે પ્રેરિત કર્તાઓ છે. પ્રેરિત કર્તા ‘પાસે નામયોગીથી કે તેને અનુગથી દર્શાવેલ છે. (૫) હું વાર્તા વાંચું છું પિતાજી મને વાર્તા વંચાવે છે..
પિતાજી મારી પાસે વાર્તા વંચાવે છે. (૬) સ્તુતિએ ગીત ગાયું ઃ હિનાએ સ્તુતિને ગીત ગવડાવ્યું.
હિનાએ સ્તુતિ પાસે ગીત ગવડાવ્યું.
અહીં કર્તા હું અને “સ્તુતિએને ને અનુગ તથા “પાસે નામયોગી લગાડીને પ્રેરિત કર્તા બનાવેલ છે. તેમજ પિતાજી અને હિનાએ એ નવા પ્રેરક કર્તાઓ ઉમેરેલ છે. (૭) ઝાડ પડ્યું : માળીએ ઝાડ પાડ્યું. (૮) બાળક હસે છે : માતા બાળકને હસાવે છે.
અહીં પડવું” અને “હસે છે' એ અકર્મક ક્રિયાપદો પ્રેરક વાક્યરચનામાં સકર્મક બન્યાં છે અને પ્રેરિત કર્તાઓએ કર્મનું સ્થાન લીધું છે. (૯) ઝાડ પડ્યુંઃ માળીએ ઝાડ પાડ્યું.
શેઠે માળી પાસે ઝાડ પડાવ્યું. (૧૦) અરુણા પત્ર લખે છે : મા અરુણાને પત્ર લખાવે છે.
પિતાજી મા મારફત અરુણાને પત્ર લખાવડાવે છે.
ઉપરથી પ્રેરક વાક્યરચના પરથી પુન:પ્રેરક વાક્યરચના થયેલી છે. ‘પડવુંનું પ્રેરક ક્રિયાપદ પાડવું અને પુનઃ પ્રેરક ક્રિયાપદ ‘પડાવવું થાય છે, તેમજ લખવુંનું પ્રેરક ક્રિયાપદ લખાવવું અને પુન:પ્રેરક ક્રિયાપદ ‘લખાવરાવવું થાય છે.
ટૂંકમાં, સાદા વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવતી વખતે મૂળ કર્તાને જ પ્રેરક કર્તા બનાવી શકાય છે. પ્રેરક વાક્યમાં જેની પાસે કામ કરાવવું હોય તે પ્રેરિત કર્તા ઉમેરવો હોય તો ઉમેરી શકાય છે. પ્રેરિત કર્તા અને અનુગથી કે 'પાસે', ‘દ્વારા, ‘મારફત જેવાં નામયોગીઓથી દર્શાવાય છે. મૂળ કર્તાને પ્રેરિત કર્તા બનાવી દઈ, નવો પ્રેરક કર્તા ઉમેરીને પણ પ્રેરક વાક્ય બનાવી શકાય છે. અકર્મક ક્રિયાપદો પ્રેરક વાક્યરચનામાં સકર્મક બને છે અને પ્રેરિત ર્તા કર્મનું સ્થાન લે છે. પ્રેરક વાક્યરચના પરથી બીજી