________________
૨૦૨
સરળ ગુજરાતી વ્યાકરણ - તમે ખોટું બોલતા નથી. (નિષેધવાય) ૨. એ દોડી શકતો હતો. (વિધિવાક્યો .
એ દોડવા અશક્ત નહોતો. (નિષેધવાક્ય) ૩. મારા પિતાજી નિર્વ્યસની છે. (વિધિવાક્ય) | મારા પિતાજીને કશું વ્યસન નથી. (નિષેધવાક્ય) ૪. આ વાત દાદાજી જ જાણે છે. (વિધિવાક્ય) " આ વાત દાદાજી સિવાય બીજું કોઈ જાણતું નથી. .
(નિષેધવાક્ય) ૫. કમલેશ અશાંત રહ્યો. (વિધિવાક્ય)
કમલેશ શાંત થયો નહિ. (નિષેધવાક્ય) ૬. હું સાચું જ કહું છું. (વિધિવાક્ય) . " હું ખોટું કહેતો જ નથી. (નિષેધવાક્ય)
ઉપરનાં વાક્યો જોતાં સમજાશે કે વિધિવાક્યને નિષેધવાક્યમાં તેમજ નિષેધવાક્યને વિધિવાક્યમાં, અર્થાત્ ભાવ બદલાય નહિ એ રીતે. ફેરવતી વખતે હકારાત્મક યિાપદને નકારાત્મક ક્રિયાપદમાં કે નકારાત્મક ક્રિયાપદને હકારાત્મક ક્રિયાપદમાં બદલવામાં આવે છે અને વાક્યમાંના અમુક શબ્દને બદલે વિરોધી અર્થવાળો શબ્દ મુકાય છે. વર્તમાનકાળ અને ભૂતકાળની રચના : નીચેનાં વાક્યો વાંચો : ૧. હું બાપુજીની પાસે નખ કપાવું છું. (વર્તમાનકાળની વાક્યરચના)
મેં બાપુજી પાસે નખ કપાવ્યા. (ભૂતકાળની વાક્યરચના) ૨. તું બહેનને વાત કહે છે. વર્તમાનકાળની વાક્યરચના)
તે બહેનને વાત કહી. (ભૂતકાળની વાક્યરચના)
ઉપરનાં વાક્યોમાં વર્તમાનકાળની વાક્યરચનામાં હું અને તું કર્તાઓ છે. એ કોઈ જાતના અનુગ લાગ્યા વિનાનાં અનુક્રમે પહેલા પુરુષ એકવચન અને બીજા પુરુષ એકવચનનાં સર્વનામ-રૂપો છે. કપાવું છું અને ‘કહે છે એ ક્રિયાપદો છે. એ પણ અનુક્રમે પહેલો પુરુષ એકવચન અને