SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ સરળ ગુજરાતી વ્યાકરણ વાક્યમાં ફેરવવું હોય તો તેમાં કેવા ફેરફાર થાય છે તે સમજવા નીચેનાં વાક્યો તપાસો : ૧. મારી પાસે ઘણું સરસ ચિત્ર છે. વિધાનવાક્ય) મારી પાસે કેવું સરસ ચિત્ર છે ! (ઉદ્ગારવાક્ય) ૨. એની ત્રાડ અત્યંત ભયંકર છે. (વિધાનવાક્ય) કેવી ભયંકર એની ત્રાડ ! (ઉગારવાક્ય) ૩. આ માણસ કેટલો હોશિયાર છે ! (ઉદ્ગારવાક્ય) આ માણસ બહુ હોશિયાર છે. (વિધાનવાક્ય) ૪. શું સોહામણું એ દશ્ય ! (ઉદ્ગારવાક્ય) એ દશ્ય ખૂબ જ સોહામણું હતું. (વિધાનવાક્ય). ઉપરનાં વાક્યો જોતાં સ્પષ્ટ થાય છે કે વિધાનવાક્યને ઉદ્ગારવાક્યમાં ફેરવતી વખતે અતિશયતાસૂચક પદો હોય તો તે દૂર કરી, “કેવું, કેટલું, “વગેરે ગુણવાચક કે પ્રમાણવાચક પદો મૂકવાં પડે છે. ઉદ્ગારવાક્યમાંથી વિધાનવાક્ય બનાવવું હોય તો એથી ઊલટો ફેરફાર કરવો પડે અને ક્રિયાપદ ન હોય તો ઉમેરવું પડે છે. વિધિવાક્ય અને નિષેધવાક્ય : હકારવાળું વાક્ય તે વિધિવાક્ય અને નકારવાળું વાક્ય તે નિષેધવાક્ય કહેવાય છે જેમકે, ‘તમે સાચું બોલો છો. આ વિધિવાક્ય છે. ‘તમે સાચું બોલતા નથી. આ નિષેધવાક્ય છે. વિધિવાક્યનું નિષેધવાક્યમાત્રછેડે નહિ ઉમેરવાથી જ થતું નથી. એની બીજી પણ રીતો છે. નિષેધ માટે નહિ ઉપરાંત અન અને આશ્ચર્યમાં મા” પણ વપરાય છે. ‘મા’ સામાન્ય રીતે વાક્યાને આવે છે; જેમકે, એની સાથે વાત કર. આ વિધિવાક્ય છે. . તેને નિષેધવાક્યમાં આમ ફેરવી શકાય : એની સાથે વાત કર મા. . • ની ક્રિયાપદની કે વિધેયખંડની પહેલાં કે વાક્યની શરૂઆતમાં પણ
SR No.005811
Book TitleSaral Gujarati Vyakaran
Original Sutra AuthorN/A
AuthorBharat Thakar
PublisherShabdalok Prakashan
Publication Year1999
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy