________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧. ‘લશ્કર સામે આવ્યું’. (ક્રિયાવિશેષણ) ૨. ‘ઘરમાં તે કદી વિરુદ્ધ વર્તો નથી'. (ક્રિયાવિશેષણ) ક્રિયાવિશેષણ અને નામયોગી તરીકે આવતાં પદ :
૧.
‘ઉપર’, ‘નીચે’, ‘અંદર’, ‘બહાર’ વગેરે કેટલાંક પદો ક્રિયાપદના અર્થમાં વિશેષતા બતાવતાં હોય ત્યારે ‘ક્રિયાવિશેષણ’હોય છે અને સંજ્ઞા કે સર્વનામ પછી આવતાં હોય ત્યારે ‘નામયોગી' હોય છે; જેમકે, ‘જરા ઉપર આવો’. (ક્રિયાવિશેષણ) પરંતુ, જરા છાપરાની ઉપર આવો'. (નામયોગી) ‘તે નીચે ગયો’. (ક્રિયાવિશેષણ) પરંતુ, ‘તેણે ટેબલ નીચે જોયું”. (નામયોગી) વિશેષણ અને નિપાત તરીકે આવતું પદ :
‘ખરો’, ‘ખરી’, ‘ખરું’ એ પદ સંજ્ઞાના અર્થમાં વધારો કરે ત્યારે ‘વિશેષણ’ હોય છે અને ક્રિયાપદને ભારપૂર્વક રજૂ કરે ત્યારે ‘નિપાત’ હોય છે: જેમકે,
૧
૨.
૧૯૫
મારી પાસે ખરી વાત આવી છે.’ (વિશેષણ) પરંતુ, મારી પાસે વાત આવી છે ખરી.’ (નિપાત) હવે ખરો આરંભ થાય છે.’ (વિશેષણ) પરંતુ, હવે આરંભ થાય છે ખરો.’ (નિપાત)
નામયોગી અને સંયોજક તરીકે આવતાં પદ :
‘છતાં’, ‘માટે જેવાં કેટલાંક પદો સંજ્ઞા કે સર્વનામ પછી આવે ત્યારે ‘નામયોગી હોય છે અને બે વાક્યોને જોડતાં હોય ત્યારે ‘સંયોજક' હોય છે; જેમ કે,
૧.
પિતાજીની વાત સાચી હોવા છતાં કોઈએ માની નહિ.’ (નામયોગી) પરંતુ, પિતાજીની વાત સાચી હતી છતાં કોઈએ માની નહિ.’ (સંયોજક) આ હીંચકો બાળકો માટે છે.' (નામયોગી) પરંતુ, બાગમાં હીંચકો છે માટે બાળકો રમવા આવે છે.’ (સંયોજક) સંયોજક અને નિપાત તરીકે વપરાતાં પદો :
‘ને’, ‘તો' અને ‘પણ' એ પદો બે વાક્યોને જોડતાં હોય ત્યારે