________________
૧૬૮
સરળ ગુજરાતી વ્યાકરણ કલાકની – પૂરી કરી શકે છે.' (૧૪) સાંજવેળા તેજ, છાયા, ઘાસ - સૌ સાથે મળીને ખેલતાં. (૧૬) શ્લેષ :
- દ્વિઅર્થી શબ્દોને કારણે વાક્યના બે કે તેથી વધુ અર્થ થાય ત્યારે લેષ અલંકાર બને છે. દા.ત.
ચોમાસું આવતાં સૃષ્ટિ નવું જીવન મેળવે છે.' અહીં “જીવન” શબ્દના બે અર્થ થાય છે. (૧) જિંદગી અને (૨) પાણી.
એમનું હતું હૃદય કામ વિષે ડૂબેલું.” અહીં ‘કામ શબ્દના બે અર્થ (૧) કાર્ય અને (૨) વિષયવાસના થતાં હોઈ વાક્યના બે અર્થ થાય છે: (૧) એમનું હૃદય કાર્યમાં ડૂબેલું હતું. અને (૨) એમનું હૃદય વિષય વાસનામાં ડૂબેલું હતું.
અન્ય ઉદાહરણ : (૧) એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને.
(૨) રવિને પોતાનો તડકો ન ગમે તો તે જાય ક્યાં ? (૧૭) અપવ્રુતિઃ
ઉપમેયનો એક વાર નિષેધ કરીને પછી તેના પર ઉપમાનનું આરોપણ કરવામાં આવે તેને અપવ્રુતિ અલંકાર કહે છે. અપત્તુતિ એટલે છુપાવવું તે. દા.ત.
આ ન શહેર, માત્ર ધૂમ્રના ધુંવા, * ન શહેર આ, કુરૂપની કથા,
ન આ શહેર, વિરાટ કો વ્યથા. અહીં ઉપમેય “શહેર’ છે તે “શહેર નથી' એમ કહીને નકારવામાં આવ્યું છે. આ રીતે ઉપમેયનો એક વખત નિષેધ કર્યા પછી તેના પર ઉપમાનનું આરોપણ કરવામાં આવ્યું છે.
રૂપક અને અપવ્રુતિ વચ્ચેનો તફાવત ધ્યાનપાત્ર છે.
અપવ્રુતિમાં પણ રૂપકની માફક ઉપમેય અને ઉપમાનની એકરૂપતા સધાય છે. પણ રૂપકમાં તે સીધેસીધી સધાય છે, જ્યારે અપહૃતિમાં ઉપમેયને પ્રથમ નકારવામાં આવે તે પછી જ તેના ઉપર