SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ સરળ ગુજરાતી વ્યાકરણ (૧૪) સ્વભાવોક્તિ : જેમાં વસ્તુ જેવી હોય તેવું વાસ્તવિક ચિત્ર આપ્યું હોય તે અલંકારને સ્વભાવોક્તિ અલંકાર કહે છે. સ્વભાવોક્તિ એટલે જેવું હોય તેવું જ બરાબર વર્ણન કરવું તે. દા.ત. ન્ડાના સાદા શયનગૃહમાં સ્વચ્છ દીવો બળે છે, વિદ્યુવલિ પ્રબળ ચમકી જ્યોતિ સાથે ભળે છે. સાહિત્યો મેં બહુ નવ દીસે એક પયંક માત્ર થોડાં ઝીણાં રજનીવસનો પાસમાં વારિપાત્ર. અહીં એક ઘરનો શયનખંડ રાત્રિને સમયે કેવો લાગે છે તેનું વાસ્તવિક ચિત્ર દોરેલું છે. તેને સ્વભાવોક્તિ ચિત્ર કહે છે. શાખાઓમાં તરુવર તણી ચક્રવાકી છુપાતી, શોધી કાઢે દયિત નયનો જોઈને દૃષ્ટ થાતી. ચંચૂ ચંચૂ મહીં લઈ પછી પક્ષને પક્ષમાં લે. ક્રીડા એવી કંઈ કંઈ કરે મધ્યમાં દંપતી તે. અહીં ચક્રવાક અને ચક્રવાકીની પ્રેમક્રીડાનું સુંદર સ્વભાવોક્તિવાળું વર્ણન કરેલું છે. અન્ય ઉદાહરણ : (૧) અહો ! ક્યારે ક્યારે થનનથન નાચી મૃગ રહે, વળી એ કન્યાના ઘડીક પદ ચાટે જીભ વડે. (૨) પાડે તાળી, વજાડે ગાલ, આંતરી વળે ઉશૃંખલ બાળ. (૩) ઊંચે બધાં શિખર શ્વેત થયાં જણાય. નીચે નદીવહનમાં તરુઓ તણાય. (૪) સાજન-મહાજન વચ્ચે ડ્રમકતો, નાચતો, નજાકતભર્યો, ચાંદીના સામાનથી ચકમક થતો, કસાયેલો પેલો લીંબુમિયાંનો છે. (૫) મુખ નાસિકા મોહનનાં ચૂએ. કર કપાળે દઈ આડું જુએ. (૧૫) સજીવારોપણ : જ્યાં નિર્જીવમાં ચેતનનું આરોપણ કરવામાં આવે તેને સજીવારોપણ કહે છે. દા.ત.
SR No.005811
Book TitleSaral Gujarati Vyakaran
Original Sutra AuthorN/A
AuthorBharat Thakar
PublisherShabdalok Prakashan
Publication Year1999
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy