________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૬૧ સીતા સમાણી સતી કોણ શાણી ? પતિપ્રતિજ્ઞા ય-સદા પ્રમાણી, કુરંગ હણવા મતિ ભ્રષ્ટ કીધી. વિનાશકાળે વિપરીત બુદ્ધિ.
અહીં સીતાની વાત પ્રથમ ત્રણ પંક્તિઓમાં કહી છે અને ચોથી પંક્તિમાં તેના સમર્થનરૂપે સામાન્ય વાત કહી છે. હવે આ પંક્તિઓ જુઓ :
પ્રભુથી સહુ કાંઈ થાય છે, અમથી થાય ન કાંઈ, રાઈનો પર્વત કરે, પર્વત બાગની માંય. અહીં પહેલી પંક્તિમાં પ્રભુની શક્તિ વિશે સામાન્ય વાત કહી છે, એના સમર્થનમાં બીજી પંક્તિમાં રાઈ અને પર્વતની વિશિષ્ટ એટલે ખાસ વાત કહી છે.
દૃષ્ટાન્ત અલંકારમાં સામાન્ય વાતનું સામાન્ય વાત દ્વારા અથવા વિશેષ વાતનું વિશેષ વાત દ્વારા સમર્થન થાય છે. જ્યારે અર્થાન્તરન્યાસમાં કાં તો સામાન્ય વાતનું વિશેષ વાત દ્વારા અથવા તો વિશેષ વાતનું સામાન્ય વાત દ્વારા સમર્થન થાય છે.
અન્ય ઉદાહરણ : (૧) કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે.
ખફા ખંજર સનમનીમાં રહમ ઊંડી લપાઈ છે. (૨) અવનિ પરથી નભ ચડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં.
- ટૂંકું કર્મ ટૂંકું રહેવાને સરજાયું આ અવનિમાં. (૩) ઉદ્યમે જ થતાં કાર્યો, નહીં માત્ર મનોરથે,
સૂતેલા સિંહના મુખ્ય પ્રવેશે મૃગ ના ભૂલે. નીચી દૃષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય?
શત લાંઘણ કેસરી કરે તોયે તૃણ નવ ખાય. (૫) ઊગે કમળ પંકમાં તદપિ દેવશિરે ચડે,
નહીં કુળથી કિન્તુ મૂલ્ય મૂલવાય ગુણ વડે. (૬) જેવી સંગતિમાં ભળે તે પણ તેવાં થાય.
ગંગામાં અપવિત્ર જળ ગંગાજળ થઈ જાય.
(૪) .