________________
સરળ ગુજરાતી વ્યાકરણ
(૪) ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક સાધતાં, ધસી રહી શી-! કો પ્રેતે જાણે લહ્યું નિજ મોચના. (૫) નાનાં નાનાં વપુ ધરી શકે શોધતાં એ દિશામાં, રેđતા એ રતિ વિવિધ શી કૈ શશીની નિશામાં. (૬) ખૂંધ તારી શોભે કેવી - બુદ્ધિભાર - લચી જાણે નારી લતા. (૭) ગમે તે પંથની વ્હેરી જાણે પવનપાવડી.
૧૫૯
(૮) એની મૂંછોના આંકડા જાણે અત્યંત ઝેરી વીંછીના વળેલા લાલ ચટક બે ડંખ ના હોય !
(૯) એના આ શબ્દોમાં જૂનો જમાનો જ જાણે આ નવી સૃષ્ટિ નિહાળી ચકિત થઈ બોલી ઊઠે છે !
(૧૦) દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય !
(૮) દૃષ્ટાન્ત ઃ
આ અલંકારમાં ઉપમાન વાક્ય અને ઉપમેય વાક્ય વચ્ચે ‘જેમ’ ‘તેમ' જેવા સાદૃશ્યવાચક શબ્દો આવતા નથી. પણ એક વાક્યની વિગતોનું પ્રતિબિંબ બીજા વાક્યમાં પડે છે. દા.ત.
વસંતના વાયુ વાય, ફળે, ને સહકાર નમે :
સંસારનાં સફળ ફળતાં,
તેમ તેમ તમારી ડાળે નમતી : સન્માનથી સર્વદા તમે વિનયી થતા.
કવિશ્રી નાનાલાલે પોતાના ગુરુનું વર્ણન કરતી વખતે તેમની વાતને વસંતના વાયુની સાથે સરખાવી છે. આથી ‘વસંતના...નમે’ એ આખું વાક્ય ઉપમાન તરીકે આવ્યું છે અને ‘સંસારના...થતા’ સુધીનું આખું વાક્ય ઉપમેય તરીકે છે. વસંતના વાયુ વાય અને આંબા ફળતાં નમતા જાય તેમ તેમને સંસારનાં કાર્યોમાં સિદ્ધિ (ફળ) મળતી ગઈ તેમ તેમ નમ્ર થતા ગયા એમ વક્તવ્ય છે. આમ અહીં ગુરુની વાત સમજાવવા માટે વસંતની વાત દૃષ્ટાન્ત દ્વારા રજૂ કરવામાં આવી છે. આને દૃષ્ટાન્ત અલંકાર કહે છે.