________________
સરળ ગુજરાતી વ્યાકરણ
(ક) અંત્યાનુપ્રાસ :
દરેક ચરણને અંતે સરખા ઉચ્ચારવાળા શબ્દો આવ્યા હોય તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહે છે. દા.ત.
‘વાગે બહુ જ સુકુમાર પગમાં શૂળ કાંટા કાંકરા, અતિ થાક લાગ્યો આકરો ચડતાં ઊતરતાં ટેકરા.
ઉપરોક્ત પંક્તિઓમાં અંતે ‘કાંકરા' અને ‘ટેકરા’ શબ્દો છે. તેનો ઉચ્ચાર સમાન હોવાથી મધુર લાગે છે. આથી અહીં અંત્યાનુપ્રાસ અલંકાર છે.
અન્ય ઉદાહરણ :
(૧) મધુર શબ્દ વિહંગ બધાં કરે, રસિકનાં હૃદયો રસથી ભરે.
(૨) સામસામા રહ્યા શોભે, વ્યોમ, ભોમ ને સોમ, ઇન્દુમાં બિન્દુ બિરાજે, જાણે ઉડ્ડગણ ભોમ.
(૩) નાનાં નાનાં વધુ ધરી શકે શોધમાં એ દિશામાં, રેલંતા એ રતિ વિવિધ શી ૐ શશીની નિશામાં. (૪) ફફડે ફફડે એની પાંખ,
દાદાની આંખોમાં વળતી ઝાંખ.
(૫) હવે નજરનો ભાર, જીવનનો થઈ બેઠો આધાર.
(૬) ઉનાળે આભ નીચે, શિયાળે તાપણાં,
ચોમાસે પાણીનાં ઠેર ઠેર ખામણાં.
૧૫૧
(૭) નહિ ઉદ્વેગ તદિપ મુજને ઃ નયન નીરખે માત્ર તુજને. (૮) સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે,
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
(૯) હૃદય કો દ્રવતું નભમાં, શશી, ધવલ આ કરુણા ઢળતી કશી. (૧૦) એ હલે છે આવતાં ધીમો પવન.
થાય છે એવું જ મારા ચિત્તમાંહી યે ચલન. ૨. અર્થાલંકાર :
ભોજે અર્થગાંભીર્ય પ્રગટ કરનારને અર્થાલંકાર કહ્યા છે.