________________
૧૪૬
સરળ ગુજરાતી વ્યાકરણ
(૧૧) વિષમ હરિગીત : રિગીત છંદની લીટીમાંથી બે માત્રા ઓછી કરી ૨૬ માત્રાની લીટી બનાવવામાં આવે છે અને આવી લીટીઓનું મિશ્રણ હરિગીતની ૨૮ માત્રાની લીટીઓ સાથે કરવામાં આવે છે. મધ્યરાત્રિ સમે તને અલિ કોકિલા! આ શું ગમ્યું ? (૨૬ માત્રા) હાં મેહુલો વરસી રહ્યો તેણેથી તુજ મનડું ભર્યું. (૨૮ માત્રા) કાવ્યમાં ઉપર બતાવ્યાં તે સિવાય લોકગીતો અને ભજનોના ઢાળનો ઉપયોગ પણ થાય છે. ફારસી સાહિત્યના સંસર્ગથી આપણે ત્યાં ગઝલનો કાવ્યપ્રકાર પણ વિકસ્યો છે. ગઝલ છંદ નથી, પરંતુ કાવ્યપ્રકાર છે અને આપણા હિગીતને મળતું તેનું માપ છે.
ઉદાહરણ :