________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૪૫ 'તાલ : ૧, ૮, ૧૧, ૧૬, ૨૧, ૨૬, ૩૧ માત્રાએ. ઉદાહરણ : " જાગ ને જાદવા, કૃષ્ણ ગોવાળિયા,
તુજ વિના ધેનમાં કોણ જાશે ? (૮) કુંડળિયો શરૂઆતમાં દોહરાનાં ચાર ચરણ, અને પછી
તેનાં ચાર ચરણને ઉલટાવીને સોરંઠાની ચાર લીટી આપવાથી તેમજ દોહરાના પ્રથમ શબ્દ
છેલ્લે લાવવાથી કુંડળિયો બને છે. ઉદાહરણ : ડોલે તરુવર ડાળીઓ, પવન ઝુલાવે પાન,
ઊડે મનોહર પંખીઓ, ગાતાં સુંદર ગાન. ગાતાં સુંદર ગાન, ધ્યાન ઈશ્વરનું ધરતાં, કરતાં વને કલોલ, રોજ આનંદે ફરતાં, સંપે રેતાં સાથ, પ્રીતનો પડદો ખોલે,
સુખિયાં પંખી રોજ, ડાળીઓ તરુવર ડોલે. (૯) છપ્પો :
છપ્પામાં કુલ છ લીટી હોય છે. તેમાંથી પહેલી ચાર લીટી રોળા છંદની અને છેલ્લી બે ઉલ્લાળા છંદની હોય છે. ઉલ્લળા છંદની દરેક લીટીમાં
૨૮ માત્રા અને ૧પ માત્રા પછી યતિ આવે છે. ઉદાહરણ : અમૃત અખંડ ઝરંત માડીની અનુપમ માયા.
ચિંતા-તાપ હરંત પિતાની પાવન છાયા, દયા ભાવભીની ભગિનીની નિત્ય નિગળતી. હૂંફ હામ દેનાર સહોદર સંગે મળતી આખી આલમ ટૂંઢતાં, પણ નહીં જ શોધ્યાં એ જડે,
ચમત્કાર સાચે જ જો એ સુભાગ્યવશ લય સાંપડે. (૧૦) સવૈયા એકત્રીસા : માત્રા : દરેક ચરણમાં એકત્રીસ. ચરણ : ૪.
તાલ : ૮. યતિ : ૧૬ ઉદાહરણ : ૧. આકાશે સંધ્યા ખીલી તી, માથે સાતમ કેરો ચાંદ,
બાગમાંહી ફરતા'તા સાથે, પૂછું હું ફૂલોનાં નામ. ૨. ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળો કેર ગયા કરનાર.