________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૪૩
માત્રામેળ છંદો :
માત્રામેળ છંદોની રચના અક્ષરોની સંખ્યા કે તેમની લઘુગુરુ પ્રમાણેની ગોઠવણીને આધારે થતી નથી. તેમાં એક ગુરુને બદલે બે લઘુ અથવા બે લઘુને બદલે એક ગુરુ ખુશીથી ચાલી શકે. લઘુની એક અને ગુરુની બે - એમ માત્રાઓ ગણતાં આખી પંક્તિની કુલ માત્રાઓનો સરવાળો નિયમ પ્રમાણે થવો જોઈએ. (૧) ચોપાઈ : માત્રા : ૧૫. ચરણ : ૪. તાલ : ૪ (૧, ૫, ૯
અને ૧૩મી માત્રાએ). દરેક ચરણમાં અંતિમ બે અક્ષરો અનુક્રમે લઘુ
અને ગુરુ હોય છે. ઉદાહરણ : લાંબા જોડે ટૂંકો જાય,
મરે નહીં તો માંદો થાય, તે માટે તક જોઈ તમામ,
શક્તિ વિચાર કરીએ કામ. (૨) અંજની ઃ આપણે ત્યાં આ છંદ મરાઠીમાંથી આવ્યો છે.
કવિ કાન્ત અને નાનાલાલે આ છંદને આપણે ત્યાં પ્રચલિત કર્યો છે. ચરણ : ૪ માત્રા : પ્રથમ ત્રણ ચરણમાં સોળ
સોળ અને ચોથા ચરણમાં દસ. ઉદાહરણ : આકાશે એની એ તારા !
એની એ જ્યોન્ઝાની ધારા, તરુણ નિશા એની એ ! દારા
ક્યાં છે એની એ ? (૩) દોહરો માત્રા : ૨૪. ચરણ : ૪. પહેલા અને ત્રીજા
ચરણમાં ૧૩ માત્રા, બીજા અને ચોથા ચરણમાં ૧૧ માત્રા. ચારે ચરણમાં ૧૧મી માત્રા લઘુ
જ હોય છે. તાલ : ૧, ૫, ૯ માત્રાએ. ઉદાહરણ : ૧. પ્રમુખસમ કો મંગલ નહિ, મૃત્યુ સમી નહીં આણ,
જગમ કો જંગલ નહિ, સત્ય સમી નહીં વાણ.