________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૩૯ વચમાં થોડી વાર માટે થોભવું પડે છે. આ થોભવાની ક્રિયાને ‘યતિ કહે છે. જો યતિ નિયમ મુજબ તેના ચોક્કસ સ્થાને ન હોય તો તેને યતિભંગ' કહે છે. આ દોષ છે. વળી, જ્યાં યતિ હોય ત્યાં પણ જો શબ્દને તોડીને વાંચવામાં આવે અને શબ્દ અર્થ વગરનો બની જાય તો
ત્યાં યતિભંગ' કહેવાય. આ રીતે સંજ્ઞા અને તેનું કારક ચિહ્ન એકસાથે રહેવાં જોઈએ. પણ જો તે બંનેની વચ્ચે યતિ આવી જાય તો તે સદોષ ગણાય છે.
ચરણ કે પદ : છંદની પૂરેપૂરા માપવાળી એક પંક્તિને ચરણ કે પદ કહે છે.
કડી કે શ્લોક : ચાર ચરણ કે પદની એક કડી કે શ્લોક બને છે. આ નિયમ ન સચવાય તો તેને “શ્લોકભંગ' કહે છે. .
શ્રુતિભંગ : એક ગુરુ અક્ષરને સ્થાને બે લઘુ અક્ષર(વર્ણ) આવે તેને શ્રુતિભંગ કહે છે. મુખ્ય છંદનાં માપ અને ઉદાહરણ : (૧) શાલિની : વર્ણસંખ્યા : ૧૧. બંધારણ : મ, ન, ત, ગા. ગા. ઉદાહરણ : દીઠાં તેણે છંદ યોગીશ્વરોનાં,
દીઠાં તેણે વૃંદ ત્યાં કામિનીનાં. (૨) ઇન્દ્રવજા : વર્ણસંખ્યા : ૧૧. બંધારણ : તે, ત, જ, ગા, ગા. ઉદાહરણ : ઇલા ! સ્મરે છે અહીં એક વેળા.
આ ચોતરે આપણ બે રમેલાં (૩) મલ્લિકા અથવા સમાની : વર્ણસંખ્યા : ૮. બંધારણ : ૨,જ,ગા,લ. (૪) ઉપેન્દ્રવજા : વર્ણસંખ્યા : ૧૧. બંધારણ : જ, ત, જ, ગા, ગા. ઉદાહરણ : સદાયે ઊંચે ચડવા વિચારો. . સદા વળી જીવન નીતિ ધારો.
ઇન્દ્રવજાનો પહેલો અક્ષર ગુરુને બદલે લઘુ હોય તે
ઉપેન્દ્રવજા. (૫) ઉપજાતિ : ઇન્દ્રવજા અને ઉપેન્દ્રવજાનું મિશ્રણ. વર્ણસંખ્યા : ૧૧. ઉદાહરણ : ભરો ભરો માનવનાં ઉરોને, (ઉપેન્દ્રવજા)
ઉત્સાહ ને ચેતનપુર રેલી. (ઇન્દ્રવજા)