SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સંરળ ગુજરાતી વ્યાકરણ અને ‘યમાતારાજભાનસલગા’– આ સૂત્ર દ્વારા પ્રથમ આઠ વર્ણ પછી ‘ગણ' શબ્દ જોડવાથી આઠેનાં નામ આવી જશે. ‘લ' વર્ણ લઘુ ‘ગા' વર્ણ ગુરુ બતાવે છે. વળી, આ સૂત્ર દ્વારા ગણનું સ્વરૂપ પણ જાણવા મળે છે. જે ગણનું સ્વરૂપ જાણવું હોય તે વર્ણની પછીના બે વર્ણ તેની સાથે જોડવાથી તે વર્ણનું સ્વરૂપ જાણી શકાય છે. દા.ત. ‘મ’ ગણનું સ્વરૂપ જાણવા માટે ‘મા’ પછીના બે વર્ણ ‘તારા’ને જોડવાથી ‘માતારા’ વર્ણસમૂહ બનશે. આમાં ત્રણે વર્ણ ગુરુ છે. આથી ‘મ’ ગણનું લક્ષણ (SSS) આદિ, મધ્ય અને અંત્ય ગુરુ થયું. એ જ રીતે સ’ ગણનું સ્વરૂપ જાણવા માટે ‘સ’ની પછી ‘લગા’ જોડતાં ‘સલગા’ થયું. આથી ‘સ’ ગણનું લક્ષણ (IIS) આદિ-મધ્ય લઘુ અને અંત્ય ગુરુ એમ થયું. અહીં એક વાત એ ધ્યાનમાં રાખવાની છે કે આ ગણનો વિચાર માત્ર વર્ણ-વૃત્ત પૂરતો છે. માત્રામેળ છંદો ગણના બંધનમાંથી પ્રાયઃ મુક્ત છે. અક્ષરમેળ છંદના મુક્તક દંડક છંદમાં પણ ગણનો વિચાર કરવામાં આવતો નથી. ૧૩૮ ગણના અધિષ્ઠાતા દેવ અને તેમનું ફળ : છંદશાસ્ત્રમાં પ્રત્યેક ગણના અધિષ્ઠાતા દેવ, તેમનું ફળ અને તેમના શુભાશુભનું વિવેચન કરવામાં આવ્યું છે. આને ટૂંકમાં નીચે મુજબ દર્શાવી શકાય : નામ દેવ શુભ કે અશુભ ય ગણ શુભ મ ગણ શુભ ત ગણ અશુભ ૨ ગણ અશુભ જ ગણ અશુભ ભ ગણ અશુભ ન ગણ શુભ સ ગણ વાયુ અશુભ યતિ : છંદ વાંચતી વખતે ચોક્કસ વર્ણસંખ્યા અથવા માત્રાની જલ પૃથ્વી આકાશ અગ્નિ સૂર્ય ચંદ્રમા સ્વર્ગ ફળ આયુ લક્ષ્મી શૂન્ય દાહ રોગ યશ સુખ વિદેશ
SR No.005811
Book TitleSaral Gujarati Vyakaran
Original Sutra AuthorN/A
AuthorBharat Thakar
PublisherShabdalok Prakashan
Publication Year1999
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy