________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૩૧ (૬) ઉગારવાક્યમાં લાગણીનો ઉદ્ગાર રજૂ થયેલો હોય છે.
દા.ત. કેવો સુંદર બાગ છે ! (ઈ) વિધિવાક્યનું નિષેધવાક્યમાં અને નિષેધવાક્યનું વિધિવાક્યમાં
રૂપાંતર
દા.ત. (૧) રમેશ ઘણો ચાલાક છે. (વિધિવાક્ય)
રમેશ ઓછો ચાલાક નથી. (નિષેધવાક્ય) (૨) કોઈ માણસ દોષ વિનાનો હોતો નથી. (નિષેધવાક્ય)
દરેક માણસમાં દોષ હોય છે. (વિધિવાક્ય) (૩) હું કોઈ કોઈ વાર ચા પીઉં . (વિધિવાક્ય)
હું વારંવાર ચા પીતો નથી. (નિષેધવાક્ય) (૪) પર્વત ઉપર ચઢવું સહેલું નથી. (નિષેધવાક્ય)
પર્વત ઉપર ચઢવું અઘરું છે. (વિધિવાક્ય) ઉપરનાં વાક્યોમાં નકારાત્મક શબ્દ મૂકીને ક્રિયાપદને નકારાત્મક બનાવ્યું છે.
(ફ) પ્રશ્રવાક્યનું નિવેદકવાક્યમાં અને નિવેદવાક્યનું પ્રશ્રવાક્યમાં રૂપાંતર : દા.ત. (૧) આકાશમાં પુષ્પો હોય ? (પ્રશ્નવાક્ય)
આકાશમાં પુષ્પો હોતાં નથી. (નિવેદકવાય) (૨) માણસ બધું જ કરી શકે છે. (નિવેદકવાક્ય)
: માણસ શું નથી કરી શકતો ? (પ્રશ્નવાક્ય) આ ઉપરથી સમજાશે કે પ્રશ્ન હકારમાં હોય તો નિવેદક નકારમાં હોય છે. પ્રશ્ન નકારમાં હોય તો નિવેદક હકારમાં હોય છે.
(ચ) નિવેદકવાક્યનું ઉદ્ગારવાક્યમાં અને ઉગારવાક્યનું નિવેદકવાક્યમાં રૂપાંતર : દા.ત. (૧) ફૂલ ખૂબ સુંદર છે. (નિવેદકવાક્ય)
કેવું સુંદર ફૂલ ! (ઉગારવાક્ય) - (૨) એ કેવો મૂર્ખ છે ! (ઉગારવાક્ય)
એ મહામૂર્ખ છે. (નિવેદકવાક્ય)