SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ પ.પૂ. સંવેગચંદ્રવિજયજી મહારાજ સાહેબ વિ. આપે આપેલ “સરળ ગુજરાતી વ્યાકરણ' નામનું પુસ્તક જોયું. સરળભાષામાં ગુજરાતી ભાષાને લગતા વિભક્તિ કૃદન્ત - તદ્ધિતના વિષયનું ઘણું જ્ઞાન થાય તેમ છે. સંસ્કૃત અને પ્રાકૃતભાષાનું જ્ઞાન મેળવતા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતને જો આ ગુજરાતી વ્યાકરણનું જ્ઞાન કરાવવામાં આવે તો સંસ્કૃત અને પ્રાકૃત વાક્યરચના, શબ્દપ્રયોગો, જોડણી - સમાસ વગેરેમાં તે જ્ઞાન બહુ ઉપયોગી થાય. સંસ્કૃત ભાષા અને પ્રાકૃતભાષા ભણતાં પહેલા ગુજરાતી ભાષાને જાણનારાઓએ આ વ્યાકરણનું જ્ઞાન મેળવવું ઘણું જરૂરી છે. સંસ્કૃત ભાષાના પ્રવેશમાં બહુ સુલભતા રહેશે. . આ સમયમાં સ્કૂલોમાં ગુજરાતી વ્યાકરણનું જ્ઞાન બહું ઓછું આપવામાં આવે છે. તેથી નામ-સર્વનામનો ઉપયોગ, વિભક્તિના પ્રત્યયો, વાક્યરચનામાં સંસ્કૃત ભાષાના પ્રવેશમાં ઘણી તકલીફો જણાય છે. આપશ્રી આ ગુજરાતી વ્યાકરણના પુસ્તકને પ્રકાશિત કરાવી જૈન ધર્મના વિશિષ્ટ અભ્યાસીઓને આપવામાં આવશે તો સંસ્કૃત-પ્રાકૃતભાષાના જ્ઞાનમાં સહાયક બનશે. પરંપરાએ આગમો વિગેરેના જ્ઞાનમાં પણ ઉપયોગી બનશે. એજ લિ. પં. રસિકલાલ શાન્તિલાલની કોટી કોટી વંદના સં. ૨૦૬૦, નાકા,ચુ.૧૧ બુધવાર 11 '
SR No.005811
Book TitleSaral Gujarati Vyakaran
Original Sutra AuthorN/A
AuthorBharat Thakar
PublisherShabdalok Prakashan
Publication Year1999
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy