________________
Oી .
પરમ પૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરિજી મહારાજ સાહેબા
શા. ખીમચંદ સ્વરૂપચંદ ઝવેરચંદ ફતેચંદ કીકાભાઈ સંઘવી પરિવારે પાલીતાણા ગિરિરાજ ઉપર નવા આદેશ્વર ભગવાન પ્રતિષ્ઠિત કરાવ્યા છે. તે પૂર્વજોના કુટુંબમાંથી છ સાધુ અને બે સાધ્વીજીઓ મળી કુલ આઠ વ્યક્તિઓએ પ્રવજ્યા (દીક્ષા) અંગીકાર 'કરી છે. જેમાં જિનશાસન શણગાર પ.પૂ. આચાર્ય
ભગવંતુ શ્રીમદ્ વિજય ચંદ્રોદય સૂરીશ્વરજી છે. જેમનું સંસારી નામ હતું સુરવિંદચંદ, સોળ વર્ષની ભર યુવાનવયે દેદીપ્યમાન એવા એમને સં. ૨૦૦૦ની સાલમાં શાસન સમ્રાટ પપૂ.આ.ભ. શ્રી વિજય નેમિસૂરીશ્વરજીના પટ્ટધર વાત્સલ્યવારિધિ પ.પૂ. આ.ભ. શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજીના પટ્ટધર ધર્મરાજા પ્રાકૃત વિશારદ્ પ.પૂ.આ.ભ.ભ. શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજીના શિષ્ય બન્યા. લાલા મહારાજના હુલામણા નામથી પ્રસિદ્ધ થયા. વ્યાખ્યાનની નૂતન શૈલી વર્ષો પૂર્વ બોરસદથી શરૂઆત કરી હતી.
૬૦ વર્ષના સંયમજીવનમાં સવાસોથી વધુ પ્રભુપ્રતિષ્ઠા તથા અંજનશલાકા એમના લલાટે લખાયેલ છે. પાલીતાણામાં એમના પૂ. ગુરુદેવની સ્વપ્નસૃષ્ટિમાં આવેલ સમવસરણની બેનમૂન પ્રતિકૃતિ શ્રી ૧૦૮ સમવસરણ મહામંદિરનું નિર્માણ કરાવવાનું ભાગ્ય સાંપડ્યું.
પરમવિનયી ભક્ત જૈનશાસનરત્ન શ્રી રજનીભાઈ દેવડી તથા શ્રી શાંતિચંદ બાલુભાઈએ એમના વડપણ હેઠળ અને પ.પૂ.આ.ભ. શ્રી વિજય અશોકચંદ્રસૂરિશ્વરજી મ.સા. સહિત અનેકવિધ પૂ.આ.ભ. અને સેંકડો સાધુસાધ્વીજી સમુદાય સહિત લાખેકની સંખ્યામાં અદ્વિતીય રીતે શ્રી શત્રુંજય મહાતીર્થના મહાભિષેક કરાવ્યા છે. ભાવનગરમાં વિશ્વવિક્રમ એવા સામુદાયિક આઠસો સિદ્ધિતપ એમની નિશ્રામાં થયા છે.
12