SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મુનિમહારાજશ્રી સંવેગચંદ્રવિજયજી શ્રી ભરતકુમાર ઠાકરનું લખેલું ગુજરાતી વ્યાકરણ જોયું. ગુજરાતમાં જન્મેલા ભાઈ-બહેનોની માતૃભાષા જ ગુજરાતી હોવાથી કેટલુંક વ્યાકરણ તો જન્મસિદ્ધ જ હોય છે, છતાં ભાષાશુદ્ધિ માટે અને યથાર્થ અર્થ બોધ માટે આ વ્યાકરણ ભણવું જરૂરી છે. તથા સંસ્કૃત-પ્રાકૃત ભાષા ભણતાં પહેલાં જો આ ગુજરાતી વ્યાકરણનો અભ્યાસ કર્યો હોય તો તે ભાષામાં પ્રવેશ ઘણો જ સુકર બને છે. તથા તે તે ભાષાની વાસ્તવિક નિપુણતા પ્રાપ્ત થાય છે. આ ગુજરાતી વ્યાકરણ બહુજ સંગીન અને સુંદર લખાણવાળું છે. કિર્તા, કર્મ, ક્રિયાપદ તથા સર્વ વિભક્તિઓનો સુંદર ખ્યાલ આપ્યો છે. ત્રણ કાળ તથા એકવચન, બહુવચનના પ્રયોગો સારી રીતે સમજાવ્યા છે. પરંતુ સાથે સાથે હવે ગુજરાતી ભાષા પણ લોપાતી જાય છે. ઈંગ્લીશ ભાષાનું એવું ઘેલું લાગ્યું છે કે સંસ્કારવાળી ભાષાઓ લુપ્તપ્રાયઃ થઈ રહી છે. તેથી સંસ્કારવાળી ભાષાઓનો અભ્યાસ ઘણો જ જરૂરી છે. તે તે ભાષાઓના વ્યાકરણના અભ્યાસથી શબ્દપ્રયોગો શુદ્ધ અને સાચા બને છે. બોલતી વખતે વક્તાના ભાષણમાં પણ પદલાલિત્ય અને ભાષાનું ગૌરવ જળવાય છે માટે આ વ્યાકરણ ભણવું ઘણું જ જરૂરી અને ઉપયોગી છે. - આ પુસ્તકના પ્રકાશનથી સમાજને અને ખાસ કરીને જૈન સમાજને) ભાષાકીય ઘણો જ લાભ મળશે. ૭૦૨, રામસાટાવર, અડાજણ પાટિયા, એજ લિ. ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, ધીરુભાઈની વંદના પ-૧૧-૨૦૦૩ - 16 સુરત
SR No.005811
Book TitleSaral Gujarati Vyakaran
Original Sutra AuthorN/A
AuthorBharat Thakar
PublisherShabdalok Prakashan
Publication Year1999
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy