________________
વ્યાકરણ’નું પુસ્તક વ્યાકરણના પાયાના જ્ઞાનમાં ઉપયોગી દેખાવાથી મુનિ શ્રી સંવેગચંદ્ર વિજયજીએ ૮૯ વર્ષની બુઝર્ગવયે ખંતપૂર્વક મુદ્રિત કરાવેલ છે. તેમની અંતરેચ્છા મુજબ પુ. સાધુ-સાધ્વીજી મહારાજ; વિદ્વાનો, ધાર્મિક શિક્ષકશિક્ષિકાઓ સાચીલાગણીથી આ વ્યાકરણનો અભ્યાસ કરાવશે તો ગુજરાતી ભાષા માત્ર જીવંત જ નહી બની રહે પણ તેની જ્યોત જગમાં ઝળહળતી રહેશે.
અભ્યાસીઓ અક્ષરની આરાધનાથી અનક્ષરપદને અનુક્રમે આંબી જશે તેવી અભ્યર્થના ...
લિ.
૫.પૂ. આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરિજી મહારાજના ગુરુબંધુ પ.પૂ. આચાર્ય શ્રી વિજય અશોકચંદ્રસૂરિજી મહારાજના ચરણકિંકર સોમચંદ્રવિજય
વિ.સં. ૨૦૬૦, કાર્તક સુદ ૧૪, શુક્રવાર તા.૭-૧૧-૨૦૦૩ પૂ. બા મહારાજ સાધ્વીજી શ્રી ઉપશાંત. શ્રી જન્મદિન,
સુંદરબા આરાધના ભવન, રાંદેર રોડ,
સુરત ૩૯૫ ૦૦૩