________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૧૯ શાળામાં ગેરહાજર હતો. આનલ સાચું બોલી, તેથી તેને ઓછી સજા થઈ.
(ચ) કારણવાચક : પાછળના વાક્યમાં કારણ દર્શાવે તેને કારણવાચક સંયોજક કહે છે. દા.ત. દેવાંગ ઘરે આવ્યો, કારણ કે તેને તાવ હતો. | (છ) પર્યાયવાચક : પદ કે વાક્યનો પર્યાય એટલે કે બીજો અર્થ દર્શાવે તેના પર્યાયવાચક સંયોજક કહે છે. દા.ત. મહાવીર સ્વામીએ અહિંસાન. અર્થાત્ હિંસા ન કરવી એ બાબતને ઉપદેશ આપ્યો હતો. અનુગો અને નામયોગીઓ :
વાક્યનાં પદોમાં સંજ્ઞાનો સંબંધ ક્રિયાપદ કે બીજી સંજ્ઞા સાથે હોય છે. વાક્યનાં પદો વચ્ચે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ. અધિકરણ વગેરે પ્રકારના સંબંધો હોય છે. આ સંબંધોને વિભક્તિઓ કહે છે અને સંજ્ઞા, સર્વનામ વગેરેને લગતા એ, ને વગેરે પ્રત્યયોને વિભક્તિના પ્રત્યયો કે અનુગો કહે છે.
અનુગો ઃ એ, ને, થી, માં અને નૂ (‘નૂનાં નો, ની, નું, નાં વગેરે રૂપો થાય છે.) કશો પ્રત્યય કે અનુગ સંજ્ઞા, સર્વનામ વગેરેને ન લાગ્યો હોય ત્યારે પણ કોઈક વિભક્તિ દર્શાવતી હોય છે. દા.ત. પિતાએ નીતિનને ઇનામ આપ્યું. અહીં ઇનામ કશા પ્રત્યય કે અનુગ વિનાનું પદ છે. છતાં એ કર્મણિ વિભક્તિમાં છે એમ સમજાય છે.
નામયોગીઓ : અનુગો જેમ વિભક્તિ દર્શાવે છે તેમ નામયોગીઓ પણ વિભક્તિનો અર્થ દર્શાવે છે. દા.ત. “વાંદરી છાપરે બેઠો છે. એમ કહેવાને બદલે “વાંદરો છાપરા ઉપર બેઠો છે. એમ પણ કહી શકાય. બંનેમાં “છાપરું બેસવાની ક્રિયાનું સ્થાન છે. પણ પહેલા વાક્યમાં ક્રિયાસ્થાન બતાવવા “એ” અનુગ વપરાયો છે, જ્યારે બીજા વાક્યમાં ‘ઉતર” એ નામયોગી વપરાયું છે.
અનુગો અને નામયોગીઓ બંને પદની પાછળ આવે છે અને વિભક્તિ બતાવે છે. આથી આ બંને વચ્ચે ગોટાળો થવાનો સંભવ છે. પરંતુ અનુગો પદ સાથે જોડાઈને આવે છે, જ્યારે નામયોગીઓ છૂટાં રહે છે. અનુગોની સંખ્યા નિશ્ચિત છે : એ. ને, થી, માં અને ન.