SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮. નિપાત, સંયોજકો, અનુગો અને નામયોગીઓ, મૂળભેદ અને પ્રેરકભેદ નિપાત : - નિપાત એટલે અવ્યય. જે પદમાં કોઈ વ્યય કે ફેરફાર ન થાય તેને નિપાત કે અવ્યય કહે છે. જુદા જુદા અર્થમાં એ પડે છે. (નિ + ત = પડવું), તેથી તે નિપાત કહેવાય છે. ઉપસર્ગોનો સમાવેશ નિપાતમાં થાય છે, તો પણ તેમનો ખાસ પ્રયોગ છે. તે હંમેશાં ક્રિયાપદ સાથે જોડાયેલાં છે. ક્રિયાપદની પાસે પૂર્વે આવી ઉપસર્ગો તેના અર્થમાં ફેરફાર કરે છે. કેટલાક નિપાતો આ પ્રમાણે છે : અને, જે, તો, જ, યા, કે, વા. હવે, તથા, પણ, પરંતુ વગેરે. નિપાત પાદપૂરક તરીકે પણ વપરાય છે. - ઉપસર્ગો : પ્ર, પરા, અપ, સમ્, અનુ, અવ, નિસ્, નિ, દુલ્સ, દુરુ, વિ. આ નિ, અધિ, અપિ, અતિ, સુ, ઉ, અભિ, પ્રતિ, પરિ, ઉપ. સંયોજકો : બે પદસમૂહો કે વાક્યોને જોડનારને સંયોજક અથવા ઉભયાન્વયી કહે છે. “માટે” જેવાં કેટલાંક નામયોગીઓ અને તેથી જેવાં સાર્વનામિક પદો પણ સંયોજક તરીકે વપરાય છે. સંયોજકના વિવિધ પ્રકારો નીચે પ્રમાણે છે : (ક) સમુચ્ચયવાચક : પદો કે વાક્યોનો સરવાળો દર્શાવનારને સમુચ્ચયવાચક સંયોજક કહે છે. દા.ત. નેહ અને શૈલ શાળાએ ગયા. અહીં એક મોટો મેળો ભરાતો તથા તેમાં અનેક લોકો ભાગ લેતા. (ખ) વિરોધવાચક : બે પદો કે વાક્યોના અર્થને વિરોધમાં મૂકે તે વિરોધવાચક સંયોજક કહેવાય છે. દા.ત. ગોપાલ ગરીબ છે, પર્ણ ઈમાનદાર છે. (ગ) વિકલ્પવાચક : બે પદો કે વાક્યોના અર્થને વિકલ્પમાં મૂકે તેને વિકલ્પવાચક સંયોજક કહે છે. દા.ત. તમે ચા લેશો કે કૉફી ? (ઘ) પરિણામવાચક : પાછળના વાક્યમાં પરિણામ દર્શાવે તેને પરિણામવાચક સંયોજક કહે છે. દા.ત. મીતેષ બીમાર હતો, તેથી ૧૧૮
SR No.005811
Book TitleSaral Gujarati Vyakaran
Original Sutra AuthorN/A
AuthorBharat Thakar
PublisherShabdalok Prakashan
Publication Year1999
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy