________________
સરળ ગુજરાતી વ્યાકરણ
૧૦૭ નીચેનાં વાક્યો જુઓ : ૧. શિલ્પા ડો ખાતી હતી.. ૨. જ્ઞાનેશ રોટલી ખાતો હતો. ૩. છોકસઓ વાર્તાઓ કહેતાં હતાં.
ઉપરનાં વાક્યોમાં ક્રિયાપદ પોતાના કર્તાની જાતિ અને વચન પ્રમાણે બદલાય છે. અહીં ક્રિયાપદનો પ્રયોગ (ઉપયોગ) કર્તા સાથે સંબંધ કરાવે છે. આ બધાં ક્રિયાપદો કર્તરિ પ્રયોગમાં હોય છે.
જ્યારે ક્રિયાપદ કર્તાનાં જાતિ, વચન અને પુરુષ પ્રમાણે પોતાનું રૂપ બનાવે ત્યારે ક્રિયાપદ કર્તરિ પ્રયોગમાં છે તેમ કહેવાય.
નીચેના વાક્યો કર્તરિ પ્રયોગમાં છે. કર્તા અને ક્રિયાપદનાં રૂપો વચ્ચેનો સંબંધ જુઓ :
(૧) કૂતરો શેરીમાં ભસતો હતો. (૨) હું પુસ્તક વાંચતો હતો. (૩) ઘડિયાળમાં ટકોરા પડ્યા. (૪) અમે રોટલી ખાઈએ છીએ. (૫) હું રોટલી ખાઉં છું. (૬) કૂતરાં ગાયને ભસતાં હતાં. (૭) રૂપા કેળાં ખાતી હતી. (૮) ઊંટ લીમડો ખાતું હતું.
કર્તરિ પ્રયોગમાં ક્રિયાપદ કર્તાને તાબે થાય છે. કર્તાનાં જે જાતિ, વચન અને પુરુષ હોય જ ક્રિયાપદના તરિ પ્રયોગમાં હોય છે.
કમણિ પ્રયોગ : નીચેનાં વાક્યો જુઓ : (૧) રૂપાએ રોટલો ખાધો. (૪) મામીએ રોટલા બનાવ્યા. (૨) પુલિને રોટલી ખાધી. (૫) કૃતાર્થે ચિત્રો દોર્યા. (૩) અમે ફૂલ સૂધ્યું. (૬) અમે વાર્તા કહી.
પહેલા વાક્યમાં “ખાધો ક્રિયાપદ ‘રોટલો કર્મનાં જાતિ, વચન અને પુરુષ પ્રમાણે ચાલે છે. દરેક વાક્યના ક્રિયાપદનાં રૂપ કર્મ પ્રમાણે બને છે. બીજા વાક્યમાં કર્મ (રોટલી) પ્રમાણે ક્રિયાપદ(ખાધી)નું રૂપ બન્યું છે, કર્તા (પુલિન) પ્રમાણે નહિ. - આમ, ઉપરનાં બધાં વાક્યોનાં ક્રિયાપદનાં રૂપો કર્મ પ્રમાણે થયાં છે. અહીં ક્રિયાપદનો પ્રયોગ (ઉપયોગ) કર્મ સાથે સંબંધ રાખે છે. આથી ઉપરનાં બધાં ક્રિયાપદ કર્મણિ પ્રયોગમાં છે.
જ્યારે ક્રિયાપદ કર્મનાં જાતિ, વચન અને પુરુષ પ્રમાણે પોતાનું રૂપ બનાવે ત્યારે ક્રિયાપદ કર્મણિ પ્રયોગમાં છે તેમ કહેવાય.