________________
૮૮
સરળ ગુજરાતી વ્યાકરણ અહીં લોભી દરબારીઓનું વિશેષણ બનીને આવ્યું છે. ખરેખર તો લોભી એ પદ પણ દરબારીઓનું વિશેષણ છે એટલે. એ વિશેષણ દરબારીઓ એ સંજ્ઞાનું છે.
બીજા વાક્યમાં “આ સર્વનામ ‘સમયે એ સંજ્ઞાના વિશેષણ તરીકે આવ્યું છે.
ત્રીજા વાક્યમાં “કંઈ સર્વનામ “વાત એ સંજ્ઞાના. ચોથા વાક્યમાં કોઈ સર્વનામ “શાણો માણસના', પાંચમા વાક્યમાં ‘જે-તે' સર્વનામ ઇનામ સંજ્ઞાના, છઠ્ઠા વાક્યમાં પોતાની સર્વનામ “વાર્તા સંજ્ઞાના, સાતમા વાક્યમાં કશી સર્વનામ “આજ્ઞા સંજ્ઞાના, અને આઠમા વાક્યમાં શો સર્વનામ ધડાકો' સંજ્ઞાના વિશેષણ તરીકે વાપરેલ છે.
ઉપરનાં સર્વનામો સર્વનામ ઉપરાંત વિશેષણની પણ કામગીરી બજાવે છે. આવાં સર્વનામોને “સાર્વજનિક વિશેષણો' એટલે કે “સર્વનામ ઉપરથી બનેલાં વિશેષણો તરીકે ઓળખાવી શકાય.
કોણ એ પ્રશ્નવાચક સર્વનામ સામાન્ય રીતે વિશેષણ તરીકે વપરાતું નથી પણ તેને બદલે કો, કોઈ’, ‘કયું એ પદ પ્રશ્નવાચક વિશેષણ તરીકે વપરાય છે.