SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ ત્રણ ગુપ્તિઓથી કરેલા અતિચારનું પ્રતિક્રમણ કરું છું. તેમાં ગોપન કરવું–રક્ષણ કરવું તે ગુપ્તિ સમજવી અર્થાત્ શુભમાં પ્રવૃત્તિ અને અશુભમાંથી નિવૃત્તિ કરવા રૂપે મનવચન-કાયાનું રક્ષણ કરવું, તે ત્રણ ગુપ્તિઓ નહિ કરવાથી લાગેલા અતિચારનું પ્રતિકમણ કરું છું, એમ સર્વત્ર સમજવું. 'प्रति० त्रिभिः शल्यैः, मायाशल्येन-निदानशल्येन मिथ्यात्त्व (ર) રાણેન=માયાશલ્ય, નિયાણશલ્ય અને મિથ્યાત્વશલ્ય, એ ત્રણ શલ્યથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ કરું છું. જેનાથી આત્માને શલ્ય-દુઃખ-પીડા થાય તે “શલ્ય” અર્થાત્ કાંટો, તેમાં ૧-“માયા' કપટ એજ શલ્ય. જેમકે જીવ અતિચાર સેવવા છતાં કપટથી ગુરૂની સમક્ષ આલોચના ન કરે, કરે તે બીજી (બેટી) રીતે કરે, કે કપટથી બીજાની ઉપર પોતાના દોષે ચઢાવે ત્યારે માયાથી અશુભ કર્મને બંધ કરીને પોતે આત્માને દુઃખી કરે, “માયાપ્રવૃતિ એજ તેનું શલ્ય કહેવાય, તેનાથી કરેલો અતિચાર. ૨નિદાન-દેવની અથવા મનુષ્યની ઋદ્ધિ જઈને કે સાંભળીને તેને મેળવવાની અભિલાષાથી (ધર્મ,અનુષ્ઠાન કરવું, એ પાપસાધનની અનુમોદના દ્વારા આત્માને કષ્ટ આપનાર હોવાથી શલ્ય અને ૩–મિથ્યા=વિપરીતદર્શન (અર્થાત બેટી માન્યતા-શ્રદ્ધા), તેના દ્વારા પણ કર્મબંધ કરીને આત્માને દુઃખી કરવાથી તે પણ શલ્ય, એમ માયા-નિદાન અને મિથ્યાત્વ એ ત્રણ શલ્યથી કરેલા અતિચારનું પ્રતિક્રમણ. તથા 'प्रति० त्रिभिर्गौरवैः, ऋद्धिगौरवेण-रसगौरवेण-सातागौरवेण' =અહીં ગુરૂપણું (મેટાઈ) એટલે ગૌરવ, અર્થાત્ અભિમાન
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy